'માણસને માંણસ જ રહેવુ જોઇએ', RSS પ્રમુખના નિવેદન પર કપિલ સિબ્બલનો કટાક્ષ
મોહવન ભાગવતે મુસલમાનોને લઇેન એક વિવાદ્સ્પદ નિવેદન આપતા દેશના રાજકીય ગરમાવો આવી ગયો હતો. મોહવન ભાગવતના નિવેદનપર ઓવેસીથી લઇને કપિલ સિબલ સુધીના નેતાઓએ નિવેદન આપ્યા હતા.
કોગ્રેસના પૂર્વ નેતા કપિલ સિંબલે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના હિન્દુસ્તાનને હિન્દુસ્તાન રહેવુ જોઇએ વાળા નિવેદનને લઇને કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે, માણસને માણસ રહેવુ જોઇએ. આરએસએસ સાથે જોડાયેલા પ્રકાશન ઓર્ગનાઇજર અને પાંચજન્યને આપેલા ઇન્ટરવ્યુમાં ભાગવતે કહ્યુ હતુ કે, મુસલમાનોને ઇનિડ્યામાં કોઇ ડર નથી. કેમ કે, હિંદુસ્તાન હિંદુસ્તાન બનેલુ રહેશે.
ઇંટરવ્યુ દરમિયાન આરએસએસ પ્રમુખે એ પણ કહ્યુ છે કે, મુસલમાનોએ વર્ચસ્વના પોતાના આખ્યાનનો ત્યાંગ કરી દેવો જોઇએ. કે તે એક વાર આ ભૂમિ પર શાસન કરતા હતા. અને ફરી એક વાર શાસન કરશે. મોહન ભાગવતે કહ્યુ છે કે, મુસલમાન, કમ્યુનિસ્ટ જે અંહી રહે છે તેમણે એ તર્કને છોડી દેવુ જોઇએ. તેમણે જણાવ્યુ હતુ કે, હિંદુસ્તાનને હિંદુસ્તાન જ રહેવુ જોઇેએ. આજે ભારતમાં રહેનાર મુસલમાનોને કોઇ નુક્સાન નથી. ઇસ્લામને ડરવાની કોઇ વાત નથી. સાથે મુસલમાનોએ વર્ચસ્વની પોતાની મહત્વકાંક્ષા માટે ભડકાઉ નિવેદન બાજી છોડી દેવી જોઇએ.
ભાગવતે કહ્યુ હતુ કે, તેમણે વિચાર કરવો જોઇએ કે, તે ભારતના જ છે. તેમણે એ પણ છોડી દેવુ જોઇએ અમારો રસ્તો સાચો છે. બાકી બધુ ખોટુ છે. એટલા માટે અમે આવા જ રહીશુ. અમે એક સાથે ના રહી શકીએ. એવામાં અંહી રેહનાર તમામ લોકો પછી તે હિન્દુ હોય કે કમ્યુનિસ્ટે આ તર્કને છોડી દેવો જોઇએ તેમણે આ ધરતી પર શાસન કર્યુ હતુ.
તેમણે મુખ્યધારાની રાજનીતિમાં સ્વયસેવક જે કઇ પણ કરે છે તેમના માટે સંઘને જવાબદાર ઠેરવામાં આવે છે. ભલે આપણે સીધી રીતે તેની સાથે જોડાયેલા ના હોય પરંતુ નિશ્ચિત રુપ તેનામ ાટે જવાબદારી છે. કેમ કે, અંતત: તે શંઘમાં છે. જ્યાં સ્વયસેવકોને પ્રશિક્ષણ કરવામાં આવે છે. એટલા માટે આપણે તે વિચારવા પર મજુબર થવુ પડે કે, આપણા સબંધો કેવા હોવા જઇએ.