સર્વે : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નહીં કોંગ્રેસ છે ફેવરેટ
લોકનીતિ અને CSDSના એક સર્વે મુજબ કર્ણાટકમાં ફરી એક વાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસની સરકાર બને તેવી સંભાવના છે. આ સર્વેમાં બીજી પણ શું રસપ્રદ માહિતી બહાર આવી છે તે વિગતવાર જાણો અહીં.
કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી રાહુલ ગાંધી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પહેલા ચરણનો પ્રચાર 10 ફેબ્રુઆરીથી શરૂ કરશે. આ પહેલા 4 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકની મુલાકાતે જશે. નોંધનીય છે કે કર્ણાટકમાં આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને આ માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે આ તમામની વચ્ચે એક સર્વે બહાર આવ્યો છે. જે ભાજપને કોંગ્રેસ મુક્તિ ભારતની નીતિની વચ્ચે આવે શકે તેમ છે. આ સર્વે મુજબ કર્ણાટકના 49 ટકા લોકો કોંગ્રેસને પસંદ કરી રહ્યા છે. અને ફરી તે કોંગ્રેસની સરકારને અહીં જોવા માંગે છે. નોંધનીય છે કે ભાજપને અહીં ખાલી 27 લોકો જ પસંદ કરી રહ્યા છે. કર્ણાટક વિધાનસભાને જોતા લોકનીતિ- CSDS દ્વારા એક સર્વે બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 49 ટકા લોકોએ કોંગ્રેસ અને 27 ટકા લોકોએ ભાજપ પર પોતાની પસંદગી ઉતારી છે. જેડીએસને પણ 20 ટકા વોટ મળે તેવી સંભાવના આ સર્વેમાં બહાર આવી છે. આ સર્વે લોકનીતિના નેશનલ કોર્ડિનેટર ડૉ. સંદીપ શાસ્ત્રીની દેખ રેખમાં કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સર્વે મુજબ બેંગલુરુના 55 ટકા લોકો કોંગ્રેસની સરકારથી ખુશ છે અને ફરી એક વાર કોંગ્રેસની સરકાર અહીં બનતી જોવા ઇચ્છે છે. નોંધનીય છે કે સર્વે મુજબ નાના શહેરોમાં પણ કોંગ્રેસની સારી છબી છે. અને સાઉથ કર્ણાટકમાં કોંગ્રેસની હવા સ્પષ્ટ પણ જોવા મળે છે. નોંધનીય છે કે આ સર્વે 10 થી 15 જાન્યુઆરીની વચ્ચે કરવામાં આવ્યો હતો. અને તેમાં લગભગ 878 લોકોનો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો હતો. વધુમાં સીએસડીએસ અને લોકનીતિની ટીમે ઘરે ઘરે ફરીને લોકોના નિર્ણયને જાણવાનો પ્રયાસ કર્યો છે. સર્વે મુજબ 11 ટકા લોકો કોંગ્રેસ સરકારના કામથી સંપૂર્ણ પણે ખુશ છે. 46 ટકા કેટલીક હદ સુધી સંતુષ્ટ છે. તો 33 ટકા લોકો કોંગ્રેસના કામથી કેટલીક હદે અસંતુષ્ટ છે. અને 6 ટકા લોકો સંપૂર્ણ પણે અસંતુષ્ટ છે. કર્ણાટકના મોટા શહેરોને છોડી નાના ગામડાની વાત કરીએ તો પણ સર્વે મુજબ કોંગ્રેસને વધુ મત મળે છે. વળી સર્વે મુજબ કર્ણાટકમાં લોકો કોંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને કર્ણાટકના સીએમ તરીકે ફરી એક વાર જોવા માંગે છે. આમ કર્ણાટકમાં આ સર્વે મુજબ ફરી એક વાર કોંગ્રેસની સરકાર બને તેવી સંભાવનાઓ નજરે પડે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
