ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામુ આપી શકે છે બીએસ યિદયુરપ્પા, સ્થાનિક ચેનલ ટીવી-9 નો દાવો
કર્ણાટકના રાજકીય મહાસંગ્રામમાં અચાનક મોટી ઉલટફેર જોવા મળી રહી છે. સ્થાનિક ટીવી ચેનલ ટીવી-9 ના જણાવ્યા મુજબ બીએસ યેદિયુરપ્પા બહુમત પરીક્ષણ પહેલા રાજીનામુ આપી શકે છે.
કર્ણાટકના રાજકીય મહાસંગ્રામમાં અચાનક મોટી ઉલટફેર જોવા મળી રહી છે. સ્થાનિક ટીવી ચેનલ ટીવી-9 ના જણાવ્યા મુજબ બીએસ યેદિયુરપ્પા બહુમત પરીક્ષણ પહેલા રાજીનામુ આપી શકે છે. ભાજપ દ્વારા જરૂરી સંખ્યા ના થવાને કારણે વર્તુળમાં ખાસી નિરાશા દેખાઈ રહી છે. એવુ જણાવવામાં આવી રહ્યુ છે કે યેદિયુરપ્પા વિધાનસભામાં એક ભાવુક ભાષણ આપી શકે છે. જેને તૈયાર કરી દેવામાં આવ્યુ છે. સ્થાનિક ચેનલ મુજબ યેદિયુરપ્પાએ 13 પાનાંનું ભાવુક ભાષણ તૈયાર કર્યુ છે. તે વિધાનસભામાં આ વાંચવાના છે. તમને જણાવી દઈએ કે પૂરી સંખ્યા ન હોવાના કારણે તે નિરાશ છે.

4 વાગ્યા પહેલા આવી ત્રીજી ટેપ
4 વાગે વિધાનસભામાં બહુમત સાબિત થતા પહેલા વધુ એક ટેપે ખળભળાટ મચાવી દીધો છે. આ વખતે આરોપ છે કે સીએમ યેદિયુરપ્પાએ કોંગ્રેસ ધારાસભ્ય બીસી પાટિલને પદ અને અન્ય લાલચ આપીને પોતાના પક્ષમાં મત આપવા માટે કહ્યુ છે. કોંગ્રેસ ધારાસભ્ય પાટિલે આ આખી વાતચીત રેકોર્ડ કરી લીધી અને વિધાનસભામાં બહુમત સાબિત થતા પહેલા આને રિલીઝ કરી દીધી. આ ત્રીજી ટેપ છે જેમાં ભાજપ પર આરોપ છે કે તે સતત કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરવા માટે તમામ પ્રકારની યુક્તિઓ કરી રહ્યુ છે.
કરોડો રૂપિયા અને મંત્રી પદ આપવાની લાલચ
આ પહેલા યેદિયુરપ્પાના પુત્ર બી વાય વિજેન્દ્રની એક કથિત ટેપ રિલીઝ થઈ જેમાં આરોપ છે કે તેમણે કોંગ્રેસ ધારાસભ્યની પત્નીને યેદિયુરપ્પાના પક્ષમાં મત આપવાનું કહ્યુ. બદલામાં પદ અને પૈસાની લાલચ આપવામાં આવી. સૌથી પહેલા કથિત ટેપ ભાજપ સમર્થક જનાર્દન રેડ્ડીની આવી હતી. જેમાં તે એક કોંગ્રેસ ધારાસભ્યને યેદિયુરપ્પાના પક્ષમાં મત આપવા માટે લલચાવી રહ્યા છે. આ કથિત ટેપમાં આરોપ છે કે જનાર્દન રેડ્ડી કોંગ્રેસ ધારાસભ્યને મતના બદલામાં કરોડો રૂપિયા અને મંત્રી પદ આપવાની લાલચ આપી રહ્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
