Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કર્યો, ધ્વનિમતથી જીત્યો વિશ્વાસમત

કર્ણાટકમાં લાંબા રાજકીય નાટકનો છેવટે અંત થયો, યેદિયુરપ્પા સરકારે સોમવારે વિધાનસભામા બહુમત મેળવી લીધો.

કર્ણાટકમાં લાંબા રાજકીય નાટકનો છેવટે અંત થયો, યેદિયુરપ્પા સરકારે સોમવારે વિધાનસભામા બહુમત મેળવી લીધો. આ દરમિયાન વિપક્ષે મત વિભાજનની પણ માંગ ન કરી. સરકારના બહુમત પરીક્ષણ દરમિયાન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ કે હું કોઈને સામે બદલાનું રાજકારણ સાથે કામ નથી કરતો એટલા માટે હવે પણ નહિ કરુ. અમારી સરકાર ખેડૂતો માટે કામ કરવા ઈચ્છે છે. એટલા માટે હું બધાને અપીલ કરુ છુ કે સરકારના વિશ્વાસ મત પ્રસ્તાવનુ સમર્થન કરો.

BS Yediyurappa

તમને જણાવી દઈએ કે અત્યારે 207 ધારાસભ્યોવાળી વિધાનસભા છે જેમાં બહુમત માટે 104નો આંકડો જોઈતો હતો અને ભાજપ પાસે 105 ધારાસભ્ય છે. વિધાનસભામાં વિશ્વાસમત મેળવ્યા બાદ પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ ભાજપને કહ્યુ કે હવે તમે લોકો સરકારમાં છો એટલા માટે ધારાસભ્યો પર રાજીનામાનુ દબાણ કરવાનુ ખતમ કરો. તેમણે કહ્યુ કે જો સરકાર સારુ કામ કરશે તો તે સરકારને સમર્થન કરશે.

યેદિયુરપ્પા ક્યારેય જનતાના આશીર્વાદ સાથે સીએમ નથી બન્યા

જો કે વિશ્વાસ મતથી પહેલા વિધાનસભામાં સિદ્ધારમૈયાએ કહ્યુ કે યેદિયુરપ્પા ક્યારેય પણ જનતાના આશીર્વાદ સાથે સીએમ નથી બન્યા. ના તેમની પાસે 2008માં બહુમત હતો, ના 2018માં અને ના અત્યારે. જ્યારે તેમણે શપથ લીધા તો સંસદમાં 222 ધારાસભ્ય હતા પરંતુ ભાજપ પાસે 112 ધારાસભ્ય ક્યાં છે. તેમણે કહ્યુ કે તમે મુખ્યમંત્રી તો રહેશો પરંતુ તેની કોઈ ગેરેન્ટી નથી. તમે બાગીઓ સાથે છો પરંતુ શું તમે સરકાર ચલાવી શકો છો, હું તમારા વિશ્વાસ મતના પ્રસ્તાવનો વિરોધ કરુ છુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X