Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karnataka CM : એ પાંચ કારણો, જે સિદ્ધારમૈયાને કર્ણાટકના મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર બનાવે છે

કર્ણાટકમાં કોંગ્રેસે બીજેપીને રાજ્યમાં સત્તા મેળવી છે. હવે પાર્ટીમાં મુખ્યમંત્રીને લઈને પેચ ફસાયો છે. એક તરફ ધારાસભ્યોએ હાઈ કમાન્ટ પર મામલો છોડ્યો છે તો બીજી તરફ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે ખેંચતાણ છે. આ સ્થિતીમાં હવે સિદ્ધારમૈયા બાજી મારી શકે છે.

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે માટે બે દિગ્ગજ દાવેદાર છે. એક પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને બીજા ડીકે શિવકુમાર. ડીકે શિવકુમાર ચૂંટણી પરિણામો બાદ મુખ્યમંત્રી પદને લઈને વારંવાર નિવેદનો આપી રહ્યા છે તો સિદ્ધારમૈયા મુદ્દે મૌન છે.

Siddaramaiah

સિદ્ધારમૈયાના મૌન પાછળ મોટુ કારણ છે. દિગ્ગજ અને અનુભવી નેતા સિદ્ધારમૈયા સારી રીતે જાણે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને મુખ્યમંત્રી બનાવશે. પાર્ટીમાં સિદ્ધારમૈયાને જે સમર્થન મળી રહ્યું છે તેને જોતા તેમના માથે જવાબદારી આવે. આ સિવાય કેટલાક એવા કારણો છે જેના કારણે કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી બનાવી શકે છે.

જમીન સાથે જોડાયેલા નેતા
સિદ્ધારમૈયા પ્રભાવશાળી નેતા છે અને તમામ ક્ષેત્રના લોકો સાથે જોડાયેલા છે. તે ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ અને સામાન્ય લોકોની ચિંતા માટે કામ કરવા માટે જાણીતા છે. સિદ્ધારમૈયા પછાત વર્ગો અને લઘુમતીઓમાં લોકપ્રિય વ્યક્તિ છે. કર્ણાટક ચૂંટણીમાં ગરીબો અને મુસ્લિમોના મત મળવા પાછળ સિદ્ધારમૈયા જ હતા.

તમામ વર્ગોમાં સારી પહોંચ
ઘણા પ્રદેશો અને વર્ગોના મતદારોએ કોંગ્રેસને નહીં પણ સિદ્ધારમૈયાના નામે મત આપ્યા છે. સિદ્ધારમૈયા પછાત વર્ગો અને લઘુમતી અધિકારોના હિમાયતી છે. સિદ્ધારમૈયા 2013 અને 2023 બંનેમાં અહિન્દા વોટ બેંકને પુનર્જીવિત કરવામાં સફળ થયા. આ ચૂંટણીમાં ગરીબો, દલિતો અને લઘુમતીઓએ સિદ્ધારમૈયાના નામ પર કોંગ્રેસને મત આપ્યા. અહિન્દા વોક્કાલિગાસ કરતા વધુ છે અને રાજ્યની વસ્તીના 2/3 ભાગ ધરાવે છે. એટલે જ બીજેપીએ અનામત આપી હતી પણ સફળ ન થયા.

વચનો પુરા કરનારા નેતા
સિદ્ધારમૈયા ચાર દાયકા કરતા વધુ સમયથી રાજકારણમાં છે અને બે વખત કર્ણાટકના મુખ્યમંત્રી સહિત ઘણા મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. સિદ્ધારમૈયા કર્ણાટકમાં મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરનાર પસંદગીના મુખ્યમંત્રીઓમં પણ સામેલ છે. તેમને રાજ્યની રાજનીતિની ઊંડી સમજ છે અને કાર્યકાળ દરમિયાન પડકારોનો સામનો કરી શકે છે. સિદ્ધારમૈયા કર્ણાટકના સફળ પ્રશાસક સાબિત થયા છે અને તેમના વચનો પૂરા કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

મુખ્યમંત્રી રહેતા સિદ્ધારમૈયાએ ક્ષીર ભાગ્ય યોજના, ઈન્દિરા કેન્ટીન અને ગરીબો માટે આવાસ યોજના જેવી ઘણી સફળ નીતિઓ લાગુ કરી છે. આ નીતિઓથી લાખો લોકોને ફાયદો થયો છે અને સિદ્ધારમૈયા જનતામાં લોકપ્રિય વ્યક્તિ બન્યા છે.

વાયદા પુરા કરવાનો પડકાર

કર્ણાટક એવું રાજ્ય છે જ્યાં બેરોજગારી, ગરીબી અને વિકાસના અભાવ જેવા પડકાર છે. સિદ્ધારમૈયા પાસે આ સમસ્યાઓ હલ કરવાની કુશળતા છે. આ સિવાય કર્ણાટક ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી પાંચ ગેરંટી સ્કીમ કર્ણાટકના પડકારોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે.

કર્ણાટકમાં કોંગ્રેસ માટે હવે તે વચનો પૂરા કરવાનો સમય છે. 2023માં ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ છત્તીસગઢ અને 2024ની લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આ વાયદા પુરા થાય તે જરૂરી છે. આ કોંગ્રેસને આવનારા દિવસોમાં વધુ રાજ્યો જીતવામાં મદદ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X