કર્ણાટકઃ કુમાસ્વામીએ માંગી વિધાનસભામાં બહુમત સાબિત કરવાની પરવાનગી
કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમાર સ્વામીએ વિધાનસભા સ્પીકર કે આર રમેશ કુમાર પાસે બહુમત સાબિત કરવાની પરવાનગી માંગી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમાર સ્વામીએ વિધાનસભા સ્પીકર કે આર રમેશ કુમાર પાસે બહુમત સાબિત કરવાની પરવાનગી માંગી છે. શુક્રવારે વિધાનસભાના મોનસુન સત્રના પહેલા દિવસે કુમારસ્વામીએ કહ્યુ કે રાજ્યમાં જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે તેના કારણે તે ગૃહમાં બહુમત સાબિત કરવા માંગે છે. એવામાં તે આનાગ માટે સ્પીકરની પરવાનગી ઈચ્છે છે. તેમને આના માટે સમય આપવામાં આવે. કુમારસ્વામીએ કહ્યુ કે તે આ સત્રમાં બહુમત સાબિત કરવા ઈચ્છે. કુમારસ્વામી જેડીસ-કોંગ્રેસ ગઠપબંધનની સીએમ છે. હાલમાં જ કોંગ્રેસ અને જીડીએએસના 16 ધારાસભ્યો પદેથી રાજીનામુઆચી પૂક્યા છે. ત્યારબાદ વિપક્ષી ભાજપનો દાવો છે કે સરકાર અલ્પમતમાં છે.
કર્ણાટકમા છેલ્લા બે સપ્તાહથી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. જેડીએસ-કોંગ્રેસના 16 ધારાસભ્યો પહલેથી જ પદ પરથી રાજીનામુ આપી દીધુ અને પછી સ્પીકરનો તેને સ્વીકારવામાં વિલંબ કરવાની વાત કહેતા સુપ્રીમ કોર્ટ જતા રહ્યા. આ મામલે સુપ્રીમ કોર્ટમાં બે સુનાવણી થઈ ચૂકી છે અને મંગળવારે ફરીથી સુનાવણી થશે. હજુ કોઈ ધારાસભ્યનુ રાજીનામુ સ્વીકર થયુ નથી. વળી, શુક્રવારથી કર્ણાટક વિધાનસભાનું મોનસુન સત્ર પણ શરૂ થઈ ગયુ. એટલા માટે કોંગ્રેસ અને જેડીએસે બધા ધારાસભ્યોને વ્હિપ આપ્યુ છે. સત્રના પહેલા જ દિવસે એચ ડી કુમારસ્વામીએ બહુમત સાબિત કરવાની વાત કહીને સમય માંગ્યો છે.
કર્ણાટક વિધાનસભામાં કુલ 224 સીટો છે. વર્તમાન સ્થિતિમાં આમાં સ્પીકરને છોડીને કોંગ્રેસના 78, જેડીએસના 37, બસપાના એક અને 2 અપક્ષ ધારાસભ્ય શામેલ છે. ભાજપના 105 ધારાસભ્ય છે. કોંગ્રેસ-જેડીએસના 16 ધારાસભ્ય રાજીનામુ આપી ચૂક્યા છે. તેમનુ રાજીનામુ સ્વીકારવાની સ્થિતિમાં 224 સીટોવી કર્ણાટક વિધાનસભાની સ્ટ્રેન્થ ફટીને 208 થઈ જશે. એવામાં ગઠબંધન પાસે સ્પીકરને મળીને 100 ધારાસભ્ય જ રહી જશે. એવામાં સરકાર ખતરમાં આવી શકે છે.
ર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર, મહારાષ્ટ્ર સરકારને નોટિસ