ભાજપ રાજ્યપાલ, અધ્યક્ષને મળીને કરશે વિશ્વાસ મતના પરીક્ષણની માંગ
કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર પર સંકટના વાદળો હજુ સુધી વિખેરાયા નથી. તમામ કોશિશો બાદ પણ બાગી ધારાસભ્યો માનવા તૈયાર નથી.
કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર પર સંકટના વાદળો હજુ સુધી વિખેરાયા નથી. તમામ કોશિશો બાદ પણ બાગી ધારાસભ્યો માનવા તૈયાર નથી. આ દરમિયાન સરકાર બનાવવાના પ્રયાસ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બુધવારે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અને વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશ સાથે મુલાકાત કરીને સંકટગ્રસ્ત ચાલી રહેલી જદ(એસ)-કોંગ્રેસની ગઠબંધન સરકારને વિશ્વાસ મતનું પરીક્ષણ કરાવવાની માંગ કરશે. પાર્ટીના એક અધિકારીએ આ માહિતી આપી. ભાજપ પ્રવકતા જી મધુસૂદને કહ્યુ, 'અમારા પાર્ટી નેતા આજે રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરીને વિધાનસભામાં વિશ્વાસ મતના પરીક્ષણમાં તેમની દખલની માંગ કરશે કારણકે 16 ધારાસભ્યોના રાજીનામા બાદ ગઠબંધન સરકાર અલ્પમતમાં આવી ગઈ છે.'

રાજ્યપાલને મળવા માટે જતા પહેલા ભાજપના પ્રદેશ સ્તરીય નેતા, ધારાસભ્ય અને કાર્યકર્તા વિધાનસભા પાસે મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે પ્રદર્શન કરશે. ભાજપના પ્રદેશ એકમના નેતા પણ વિધાનસભા અધ્યક્ષ સાથે પણ મુલાકાત કરીને તેમને સીધા મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીને વિશ્વાસ મત સાબિત કરવાના નિર્દેશ આપવાના નિર્દેશ આપવા માટે કહીશુ. મધુસૂદને કહ્યુ કે વિધાનસભાના 10 દિવસીય મોનસુન સત્ર આ શુક્રવારથી શરૂ થઈ રહ્યુ છે. રાજ્યપાલ સીધા વિધાનસભા અધ્યક્ષને શુક્રવારને વિશ્વાસ મતનું પરીક્ષણ કરાવવાના નિર્દેશ આપી શકે છે જેનાથી અલ્પમતમાં ચાલી રહેલી સરકારનું શક્તિ પરીક્ષણ થઈ શકે.
રાજીનામુ આપનાર 16 ધારાસભ્યોમાંથી કોંગ્રેસના 11, જદ-એસના ત્રણ, એક ધારાસભ્ય સ્થાનિક દળ કર્ણાટક પ્રાગ્યાવન્તા જનતા પાર્ટી (કેપીજેપી)ના તથા એક અપક્ષ ધારાસભ્ય છે. મધુસૂદને કહ્યુ કે વિધાનસભા અધ્યક્ષે મંગળવારે 13 ધારાસભ્યોને પોતાનુ રાજીનામુ ફરીથી દાખલ કરવા માટે કહ્યુ અને પાંચ અન્ય ધારાસભ્યોને 12જુલાઈ અને 15 જુલાઈએ તેમને મળીને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યુ કે તે પોતાનુ રાજીનામુ સ્વેચ્છાએ આપી રહ્યા છે. તે સત્રમાં ભાગ નહિ લે કારણકે તે પહેલેથી જ રાજીનામુ આપી ચૂક્યા છે. કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય રા રોશન બેગે મંગળવારે રાજીનામુ આપી દીધુ. વળી, કેપીજેપી ધારાસભ્ય આર શંકર અને અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે સોમવારે રાજીનામુ આપી દીધુ. મધુસૂદને કહ્યુ, બધા ધારાસભ્યોએ પોતાના રાજીનામાની એક નકલ રાજ્યપાલને આપી છે જે રાજ્યના પ્રમુખ તરીકે વિધાનસભા અધ્યક્ષને વિશ્વાસ મતનું પરીક્ષણ કરાવવાના નિર્દેશ આપશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા











Click it and Unblock the Notifications
