Karnataka Electio : BJP એ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો જગદીશ શેટ્ટર સામે કોણ?
કર્ણાટક બીજેપીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી વચ્ચે ઉમેદવારોની ત્રીજી યાદી સામે આવી છે. હાલ રાજ્યમાં ઘણા નેતાઓ નારાજ થઈને પાર્ટી છોડી રહ્યા છે ત્યારે હવે બીજેપીએ આ લિસ્ટમાં જગદીશ શેટ્ટરની ટિકિટ કાપીને મહેશ તેગિંગકાઈને ટિકિટ આપી છે.
સોમવારે આવેલી આ યાદીમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ વધુ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં 10 મતવિસ્તારોના ઉમેદવારોના નામ છે. આ યાદીમાં સામેલ દસ નામોમાં એ ઉમેદવાર પણ સામેલ છે જેને હુબલી-ધારવાડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

આ સીટ સીએમ જગદીશ શેટ્ટરનો મતવિસ્તાર છે. શેટ્ટર રાજ્યના દિગ્ગજ નેતાઓમાંના એક છે અને હવે બીજેપી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે.
જણાવી દઈએ કે જગદીશ શેટ્ટરે રવિવારે ટિકિટ ન મળવાથી નારાજ થઈને બીજેપીમાંથી રાજીનામું આપી દીધું હતું અને સોમવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. કોંગ્રેસે તેમને તેમના મતવિસ્તાર હુબલી-ધારવાડ સેન્ટ્રલથી ટિકિટ આપવાનું વચન આપ્યું છે.
#KarnatakaElections2023 | BJP releases third list of candidates.
— ANI (@ANI) April 17, 2023
BJP MLA Aravind Limbavali's wife Manjula Aravind Limbavali to contest from Mahadevapura. pic.twitter.com/Xc7VIautAp
બીજી તરફ બીજેપી દ્વારા આજે જાહેર કરવામાં આવેલી યાદીમાં હુબલી-ધારવાડ બેઠક પર મહેશ તેગિંગકાઈને ટિકિટ આપી છે. અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં આ હુબલી-ધારવાડ બેઠક શેટ્ટરના કારણે બીજેપીનો ગઢ ગણાતી હતી. શેટ્ટર હવે કોંગ્રેસના ઉમેદવાર હશે મહેશને ટક્કર આપશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
