કર્ણાટકમાં મોહરમ અને ગણેશ ચતુર્થીના સાર્વજનિક કાર્યક્રમ પર રોક, સરકારે જાહેર કર્યા કડક નિર્દેશ
કર્ણાટક સરકારે મોહરમના તહેવાર પર દરેક પ્રકારના કાર્યક્રમ પર રોક લગાવી દીધી છે.
નવી દિલ્લીઃ કર્ણાટક સરકારે મોહરમના તહેવાર પર દરેક પ્રકારના કાર્યક્રમ પર રોક લગાવી દીધી છે. સરકાર તરફથી જાહેર કરાયેલ આદેશમાં કહેવામાં આવ્યુ છે કે20 ઓગસ્ટ સુધી મોહરમના તહેવાર નિમિત્તે કોઈ પણ પ્રકારના જુલૂસ, તાજિયા અને માતમ મનાવવાના કાર્યક્રમ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. નમાઝ વગેરે મસ્જિદની અંદર કોરોના નિયમોનુ કડકાઈથી પાલન કરીને જ કરવામાં આવશે. આ ઉપરાંત 10 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પોતાના ઘરમાં જ નમાઝ અદા કરવા માટે કહેવામાં આવ્યુ છે.

કર્ણાટક સરકાર તરફથી 12 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી માટે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના મોહરન જુલૂસ કાઢવા પર પ્રતિબંધ રહેશે. સરકારના આદેશ અનુસાર કબ્રસ્તાનમાં કોઈ પણ પ્રકારના કાર્યક્રમનુ આયોજન કરવામાં નહિ આવે. વળી, મસ્જિદમાં નમાઝ પઢવા આવતા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવા અને જરૂરી બધા કોરોના પ્રોટોકૉલનુ પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે.
સરકાર તરફથી જાહેર કરાયેલ નિર્દેશમાં કહેવામાં આવ્યુ છે કે ગણેશ ચતુર્થીના તહેવાર પર પણ કોઈ પણ પ્રકારના પંડાલ લગાવવામાં નહિ આવે અને કોઈ પણ પ્રકારના મનોરંજક કાર્યક્રમ પણ આયોજિત કરવાની મંજૂરી નહિ હોય. ગણેશજીની મૂર્તિને એક નિશ્ચિત સ્થળે જ વિસર્જિત કરવાની મંજૂરી મળશે. જે મંદિરોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવશે તેને રોજ સારી રીતે સેનિટાઈઝ કરવુ અનિવાર્ય છે. મંદિરોમાં આવતા લોકોએ અનિવાર્ય રીતે ખુદને સેનિટાઈઝ કરવાના રહેશે. સાથે જ દરેક વ્યક્તિની થર્મલ તપાસ કરવામાં આવશે. હાથ સેનિટાઈઝ કરવા અને થર્મલ તપાસ બાદ જ લોકોને મંદિરમાં જવાની મંજૂરી રહેશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
