કર્ણાટકમાં મોહરમ અને ગણેશ ચતુર્થીના સાર્વજનિક કાર્યક્રમ પર રોક, સરકારે જાહેર કર્યા કડક નિર્દેશ
કર્ણાટક સરકારે મોહરમના તહેવાર પર દરેક પ્રકારના કાર્યક્રમ પર રોક લગાવી દીધી છે.
નવી દિલ્લીઃ કર્ણાટક સરકારે મોહરમના તહેવાર પર દરેક પ્રકારના કાર્યક્રમ પર રોક લગાવી દીધી છે. સરકાર તરફથી જાહેર કરાયેલ આદેશમાં કહેવામાં આવ્યુ છે કે20 ઓગસ્ટ સુધી મોહરમના તહેવાર નિમિત્તે કોઈ પણ પ્રકારના જુલૂસ, તાજિયા અને માતમ મનાવવાના કાર્યક્રમ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. નમાઝ વગેરે મસ્જિદની અંદર કોરોના નિયમોનુ કડકાઈથી પાલન કરીને જ કરવામાં આવશે. આ ઉપરાંત 10 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પોતાના ઘરમાં જ નમાઝ અદા કરવા માટે કહેવામાં આવ્યુ છે.

કર્ણાટક સરકાર તરફથી 12 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી માટે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના મોહરન જુલૂસ કાઢવા પર પ્રતિબંધ રહેશે. સરકારના આદેશ અનુસાર કબ્રસ્તાનમાં કોઈ પણ પ્રકારના કાર્યક્રમનુ આયોજન કરવામાં નહિ આવે. વળી, મસ્જિદમાં નમાઝ પઢવા આવતા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવા અને જરૂરી બધા કોરોના પ્રોટોકૉલનુ પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે.
સરકાર તરફથી જાહેર કરાયેલ નિર્દેશમાં કહેવામાં આવ્યુ છે કે ગણેશ ચતુર્થીના તહેવાર પર પણ કોઈ પણ પ્રકારના પંડાલ લગાવવામાં નહિ આવે અને કોઈ પણ પ્રકારના મનોરંજક કાર્યક્રમ પણ આયોજિત કરવાની મંજૂરી નહિ હોય. ગણેશજીની મૂર્તિને એક નિશ્ચિત સ્થળે જ વિસર્જિત કરવાની મંજૂરી મળશે. જે મંદિરોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવશે તેને રોજ સારી રીતે સેનિટાઈઝ કરવુ અનિવાર્ય છે. મંદિરોમાં આવતા લોકોએ અનિવાર્ય રીતે ખુદને સેનિટાઈઝ કરવાના રહેશે. સાથે જ દરેક વ્યક્તિની થર્મલ તપાસ કરવામાં આવશે. હાથ સેનિટાઈઝ કરવા અને થર્મલ તપાસ બાદ જ લોકોને મંદિરમાં જવાની મંજૂરી રહેશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
