શક્તિ પ્રદર્શન કરી યેદુરપ્પાએ ભાજપને ફેંક્યો પડકાર

યેદુરપ્પાએ કહ્યું છે કે જો ભાજપમાં હિંમત છે તે તેમના અને તેમના સાંસદ પુત્ર રાઘવેન્દ્ર વિરુદ્ધ કાર્યવાહી કરીને બતાવે. યેદુરપ્પાએ ગયા મહીને ભાજપ સાથે છેડો ફાડી નવી પાર્ટી બનાવવાની ઘોષણા કરી હતી.
પાર્ટીના આદેશને દરકિનાર કરતા યેદુરપ્પાની રેલીમાં ભાજપના અંદાજે ડજનેક ધારાસભ્યો પહોચ્યા હતા. પાર્ટી જો યેદુરપ્પાના સમર્થકો એવા આ ધાસભ્યો પર કાર્યવાહી કરે છે તો ભાજપની કર્ણાટક સરકાર સંકટમાં આવી જશે. યેદુરપ્પાના શક્તિપ્રદર્શનમાં અત્યારસુધી ભાજપના સાંત મંત્રીઓ સહિત 25 ધારાસભ્યો, ત્રણ અન્ય ધારાસભ્યો સાથે વિધાન પરિષદના બે સભ્યો આવી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
