કર્ણાટકઃ મિડ ટર્મ ચૂંટણીવાળા નિવેદન પર એચડી દેવગૌડાએ યૂટર્ન લીધો
કર્ણાટકઃ મિડ ટર્મ ચૂંટણીવાળા નિવેદન પર એચડી દેવગૌડાએ યૂટર્ન લીધો
બેંગ્લોરઃ દેશના પૂર્વ પીએમ અને જેડીએ પ્રમુખ એચડી દેવગૌડાએ કર્ણાટકમાં મિડ ટર્મ ઈલેક્શન વાળા નિવેદન પર યૂટર્ન લઈ લીધો છે. તેમણે પહેલા સંકેત આપ્યા હતા કે રાજ્યમાં મિડ ટર્મ ચૂંટણી થઈ શકે છે. કોંગ્રેસ-જેડીએસની વચ્ચે લોકસભામાં મળેલ હાર બાદ નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે આનાથી પરેશાન છે. તેમણે રિપોર્ટર્સ સાથેની વાતચીતમાં કહ્યું કે તેમનું નિવેદન કોર્પોરેશનની ચૂંટણી સંબંધિત હતું ન કે વિધાનસભા ચૂંટણી વિશે. તેમના નિવેદનથી કર્ણાટકમાં રાજનૈતિક હલચલ તેજ થઈ ગઈ છે.
|
મિડ ટર્મ ચૂંટણી પર દેવગૌડાનો યૂટર્ન
જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડાએ બેંગ્લોરમાં રિપોર્ટર્સ સાથે વાત કરતા કહ્યું કે મેં કોર્પોરેશનની ચૂંટણી સંબંધિત નિવેદન આપ્યું હતું. આ વિધાનસભા ચૂંટણી વિશે નહોતું. અહીં હું મારી પાર્ટીને મજબૂત કરવા માટે છું. તેમણે આગળ કહ્યું કે જેમ કે તેમના દીકરા અને રાજ્યના સીએમ એચડી કુમારસ્વામીએ કહ્યું છે કે આ સરકાર આગામી ચાર વર્ષ સુધી ચાલશે. જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે આ બાબતે સમજ છે.

પહેલા મિડ ટર્મ ચૂંટણીના સંકેત આપ્યા હતા
જેડીએસ પ્રમુખ દેવગૌડાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને બેંગ્લોરમાં કહ્યું હતું કે રાજ્યમાં મિડ ટર્મ ચૂંટણી થશે તેમાં બીજો કોઈ મત નથી. તેઓ 5 વર્ષ સુધી અમારું સમર્થન કરશે પરંતુ હવે તેમના વ્યવહારને જુઓ. અમારા લોકો સ્માર્ટ છે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં મળેલી કરારી હાર બાદ કોંગ્રેસ અને જેડીએસના નેતા એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. બંનેએ મળીને રાજ્યમાં લોકસભા ચૂંટણી લડી હતી. ભાજપે રાજ્યની 28માંથી 25 સીટ પર જીત હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસ અને જેડીએસને માત્ર 1-1 સીટ જ મળી હતી.

2018માં બંનેએ મળીને સરકાર બનાવી
પાછલા વર્ષે ભાજપને કર્ણાટકની સત્તાથી દૂર કરવા માટે બંને દળોએ ચૂંટણી બાદ ગઠબંધન કર્યું હતું. જેડીએસને કોંગ્રેસથી ઓછી સીટ મળી હોવા છતાં પાર્ટીએ સમર્થન આપ્યું અને એચડી કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. રાજ્યની 224 વિધાનસભા સીટમાંથી કોંગ્રેસને 77 અને જેડીએસને 37 સીટ મળી હતી. જ્યારે ભાજપ 104 સીટ જીતી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. પરંતુ ભાજપ બહુમતીનો જાદૂઈ આંકડો નહોતું આંબી શક્યું.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
