Karnataka CM Oath-Taking Ceremony: જી પરમેશ્વર, એમબી પાટિલ સહિત આ ધારાસભ્યો બનશે મંત્રી, આજે લેશે શપથ
Karnataka Oath Ceremony: કર્ણાટકમાં મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીના નામોને ફાઈનલ કર્યા બાદ આજે શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સહિત અનેક ધારાસભ્યો આજે નવા કેબિનેટ માટે શપથ લેશે.
આ ધારાસભ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યો ડૉ જી પરમેશ્વરા, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ, એમબી પાટીલ, સતીશ જરકીહોલી, પ્રિયંક ખડગે, રામલિંગા રેડ્ડી અને બીઝેડ ઝમીર અહેમદ ખાન આજે મંત્રી તરીકે શપથ લેશે.

કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસ શપથ ગ્રહણ સમારોહ દ્વારા વિપક્ષી એકતા બતાવવાનો પ્રયાસ કરી રહી છે. તેથી કોંગ્રેસે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ઘણા વિરોધ પક્ષોના નેતાઓને આમંત્રણ મોકલ્યું છે. જેમાં તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, બિહારના સીએમ નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, એનસીપી ચીફ શરદ પવાર, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, એનસી ચીફ ફારૂક અબ્દુલ્લાને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સિવાય ઝારખંડના સીએમ હેમંત સોરેન, સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજા, સીપીઆઈ-એમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને એસપી ચીફ અખિલેશ યાદવને પણ બોલાવવામાં આવ્યા છે. આ સિવાય છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
કોંગ્રેસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, તેલંગાણાના સીએમ કેસીઆર, કેરળના સીએમ પી વિજયન, આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડી, ઓડિશાના સીએમ, બસપાના વડા માયાવતી અને બીજેડીના વડા નવીન પટનાયકને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું નથી.
શપથ ગ્રહણ સમારોહ કર્ણાટકની રાજધાની બેંગલુરુના કાંતીરવા સ્ટેડિયમમાં બપોરે 12.30 કલાકે યોજાશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો 13 મેના રોજ જાહેર થયા હતા. કોંગ્રેસે 135 બેઠકો, ભાજપને 66 અને જેડીએસને 19 બેઠકો મળી છે.












Click it and Unblock the Notifications
