સિદ્ધારમૈયા નો જવાબ, ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે યેદુરપ્પા
કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા ઘ્વારા બીજેપી સીએમ કેન્ડિડેટ યેદુરપ્પા ઘ્વારા વોટરોના હાથ બાંધીને લઈને આવવા વાળા નિવેદન પર નિશાનો સાધ્યો છે.
કર્ણાટક સીએમ સિદ્ધારમૈયાએ પીએમ મોદીને વિજ્ઞાપન ઘ્વારા ખુલી ચર્ચા માટે પડકાર આપ્યો છે. એક પેપરમાં છપાયેલા વિજ્ઞાપન મુજબ પીએમ ને ચર્ચા માટે તારીખ અને જગ્યા પસંદ કરવા માટે પણ વાત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા ઘ્વારા બીજેપી સીએમ કેન્ડિડેટ યેદુરપ્પા ઘ્વારા વોટરોના હાથ બાંધીને લઈને આવવા વાળા નિવેદન પર નિશાનો સાધ્યો છે. સિદ્ધારમૈયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે યેદુરપ્પા ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે અને ખોટી રીતે પ્રચાર કરે છે. સિદ્ધારમૈયા કહ્યું કે કોઈ પોલિંગ બૂથ પર કઈ રીતે કોઈને બાંધી શકે છે.

શનિવારે યેદુરપ્પાએ આપ્યું હતું વિવાદિત નિવેદન
કર્ણાટક વિધાનસભા ઈલેક્શન પહેલા બોજેપી અને કોંગ્રેસની જોરદાર તૈયારી ચાલી રહી છે. બંને પાર્ટીના મોટા નેતાઓ જોરદાર રેલીઓ કરી રહી છે. આ વચ્ચે બીજેપી સીએમ ઉમેદવાર યુદુરપ્પા ઘ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. યુદુરપ્પા ઘ્વારા પ્રચાર દરમિયાન કહેવામાં આવ્યું કે આરામ નહીં કરો. જો તમને લાગે છે કે કોઈ વોટ નથી આપી રહ્યું તો તેમના ઘરે જઈને તેના હાથ પગ બાંધ ને ભાજપના પક્ષમાં વોટ આપવામાં માટે લઇ આવો.

કોંગ્રેસ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો
કોંગ્રેસે આ વિવાદિત નિવેદન માટે યુદુરપ્પા પર જોરદાર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે યેદુરપ્પા ઘ્વારા બીજેપીના પક્ષમાં વોટ નહીં આપનાર લોકોને સાર્વજનિક રીતે ધમકી આપી છે. તેમનું જણાવ્યું કે લોકતંત્ર અને સંવિધાનનું સમ્માન કરવાનો દાવો કરનાર બીજેપી પાર્ટી તરફ થી આવું નિવેદન ચોંકાવનારું છે.

કર્ણાટકમાં 12 મેં દરમિયાન ઈલેક્શન
224 વિધાનસભા સીટ ધરાવતા કર્ણાટકમાં 12 મેં દરમિયાન ઈલેક્શન છે અને 15 મેં દરમિયાન તેનું પરિણામ આવશે. રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ પોતાની સત્તા બચાવવા માટે કામ કરી રહી છે. જયારે બીજેપી ફરી એકવાર સત્તામાં આવવા માટે કમર કસી રહી છે.












Click it and Unblock the Notifications
