કાર અકસ્માતમાં ઘાયલ કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક જોખમથી બહાર, દૂર્ઘટનામાં પત્નીનુ નિધન
કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક ભીષણ કાર અકસ્માતનો શિકાર થઈ ગયા. જેમાં તેમના પત્નીનુ મોત થઈ ગયુ છે.
નવી દિલ્લીઃ Shripad Naik wife Vijaya Naik died: કર્ણાટક(Karnataka)ના ઉત્તર કન્નડ જિલ્લીના અકોલામાં આજે(સોમવાર) કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક(Shripad Naik) ભીષણ કાર અકસ્માત (Road accident)નો શિકાર થઈ ગયા. આ દૂર્ઘટનામાં શ્રીપદ નાઈક ઘાયલ થઈ ગયા છે જ્યારે તેમના પત્ની વિજયા નાઈક(Vijaya Naik)નુ મોત થઈ ગયુ છે. મળતી માહિતી મુજબ દૂર્ઘટના બાદ બંનેને નજીકની સરકારી હોસ્પિટલ(government hospital)માં ભરતી કરવામાં આવ્યા જ્યાં ઈલાજ દરમિયાન કેન્દ્રીય મંત્રી ક્ષીપદ નાઈકની પત્નીએ ઈલાજ દરમિયાન દમ તોડી દીધો. હાલમાં શ્રીપદ નાઈકની હાલત સ્થિર જણાવાઈ રહી છે.
|
વિજયા નાઈક મૃત ઘોષિત
મીડિયા રિપોર્ટ મુજબ શ્રીપદ નાઈકની કારમાં છ લોકો સવાર હતા, તે પોતાની પત્ની સાથે ક્યાંક જઈ રહ્યા હતા. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ શ્રીપદ નાઈકની પત્ની વિજયા નાયક બેભાન થઈ ગયા હતા અને તેઓ ઘણી વાર સુધી ભાનમાં આવ્યા નહોતા. બાદમાં ડૉક્ટરોએ વિજયા નાઈકને મૃત ઘોષિત કરી દીધા. દૂર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત(Pramod Sawant)ને ગોવામાં કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈકના ઈલાજની બધી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે વાત કરી છે.
|
રાજકીય ગલીઓમાં શોકની લહેર
શ્રીપદ નાઈકની પત્ની વિજયા નાઈકના નિધનના સમાચાર આવતા જ રાજકીય ગલીઓમાં શોકની લહેર દોડી રહી છે. દિલ્લી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) ટ્વિટ કરીને વિજયા નાઈકના નિધન શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યુ, 'એક દૂર્ઘટનામાં વિજયા નાઈકજીના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખ થયુ. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈકના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીને આશા છે કે ભગવાન તેમને અને તેમના પરિવારને આ નુકશાનથી ઉભરવાની શક્તિ આપે.'
|
જોખમથી બહાર છે શ્રીપદ નાઈક
ગોવાના સીએમ પ્રમોદ સાવંતે સોમવારે મોડી રાતે કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈકની તબિયય વિશે માહિતી આપીને મીડિયાકર્મીઓ સાથે વાત કરી. સીએમ પ્રમોદ સાવંતે કહ્યુ, 'તેઓ(કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક) જોખમથી બહાર છે અને તબિયત સ્થિર છે. આજે રાતે બે નાની સર્જરી કરવામા આવશે. હજુ સુધી તેમને ઈલાજ માટે દિલ્લી ટ્રાન્સફર કરવાની જરૂરિયાત નથી.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
