Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કરણી સેનાધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીના આજે અંતિમ સંસ્કાર, SHO-કૉન્સ્ટેબલ સસ્પેન્ડ, રાજસ્થાનમાં ભારેલો અગ્નિ

Sukhdev Singh Gogamedi: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીના પાર્થિવ દેહને જયપુરની મેટ્રો માસ હૉસ્પિટલથી સવાઈ માન સિંહ (એસએમએસ) હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સુખદેવ સિંહનું પોસ્ટમોર્ટમ એસએમએસ હૉસ્પિટલમાં કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે એટલે કે આજે થશે.

સુખદેવ સિંહ ગોગામેડીના ગોળીબારમાં મોત બાદ સમગ્ર રાજસ્થાનમાં ભારેલો અગ્નિ છે. હત્યાના વિરોધમાં કરણી સેનાએ બુધવારે બંધનું એલાન આપ્યું હતું. કરણી સેનાએ તેમની માંગને લઈને રાજસ્થાન બંધ કરાવ્યુ હતુ. આ માટે ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

sukhdevsingh

જો કે કરણી સેનાએ કાર્યવાહીનું આશ્વાસન મળતાં વિરોધ ખતમ કર્યો હતો. તેમણે કહ્યું કે આશ્વાસન મળ્યા બાદ વિરોધનો અંત લાવવામાં આવ્યો છે તેમજ સર્વસંમતિ પણ સધાઈ છે. શ્યામ નગર પોલીસ સ્ટેશનના SHO અને બીટ કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સુખદેવ સિંહ ગોગામેડીના પત્ની શીલા શેખાવતે કહ્યું કે આવતીકાલે રાજસ્થાન બંધ રાખવાનુ છે. હું સમગ્ર દેશના રાજપૂતોને અહીં વધુમાં વધુ સંખ્યામાં આવવા અપીલ કરું છું. આજે સુખદેવ સિંહ ગુનેગારોના નિશાન બન્યા છે, આવતીકાલે આપણામાંથી કોઈ પણ તેમનું નિશાન બની શકે છે. માટે આ અન્યાય સામે અવાજ ઉઠાવો.

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ તેમની પત્ની શીલા શેખાવત પણ ભીડ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. શીલા શેખાવતે જયપુરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને સંબોધિત કરતા તેમને સમર્થન આપવાની ભાવનાત્મક અપીલ કરી હતી. શીલા શેખાવતે કહ્યું કે તે તેના પતિ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના દિવસે વિરોધીઓની વચ્ચે આવવા માંગતી હતી પરંતુ આવવાની સ્થિતિમાં નહોતી. તેથી જ તે આવી ન હતી.

શીલા શેખાવતે કહ્યું કે તમારા દાદા (સુખદેવ સિંહ ગોગામેડી)એ જે કહ્યું હતું તે હું ફરીથી કહેવા માંગુ છું. તે કહેતા હતા કે મેં દરેક ગલીમાં દરેક ઘરમાં સુખદેવ સિંહનો ઉછેર કર્યો છે. શું તે સુખદેવ સિંહ તૈયાર છે? કારણ કે આજે મને એ સુખદેવ સિંહની ખૂબ જ જરૂર છે. શીલા શેખાવતે કહ્યું કે આજે ફરી દગો કર્યો છે. છેતરપિંડી કરી છે. સિંહને શિયાળ દ્વારા દગો કરીને મારી નાખવામાં આવ્યા છે. આપણે એક હીરો ગુમાવ્યો છે. તમે લોકો એ પણ જાણો છો કે જો કોઈ જતુ રહે તો તેની ક્યારેય પૂર્તિ નથી થતી.

સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે કહ્યું કે હું તમને કહી પણ નથી શકતી કે મારી સાથે શું ચાલી રહ્યું છે? તેમણે આંદોલનકારીઓને કહ્યું કે ભાઈઓ, મને સાથ આપો. જ્યાં સુધી આરોપીઓને પકડીને આપણી સમક્ષ લાવવામાં ન આવે. ત્યાં સુધી આપણે અહીંથી ખસવાનું નથી. શીલા શેખાવતે કહ્યું કે સુખદેવ સિંહ ગોગામેડીએ કોઈપણ કામ માટે પત્રો પર કોઈ ખાતરી નથી લીધી. સુખદેવ સિંહે પોતાનું કામ ખંતથી કર્યું છે. તમે પણ સુખદેવ છો. તમારી આ બહેન માટે તમારે પણ અવાજ ઉઠાવવો પડશે.

નોંધનીય છે કે, 5 ડિસેમ્બર, 2023ના રોજ જયપુરના શ્યામ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે 1.30 વાગ્યે, મકરાણાના રહેવાસી રોહિત રાઠોડ અને હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી નીતિન ફૌજીએ ઘરમાં ઘૂસીને સુખદેવ સિંહને ગોળી મારી દીધી હતી. મૃત રાજપૂત સમાજના લોકો સુખદેવની હત્યાના વિરોધમાં જયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X