For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કસાબને ફાંસી આપીને આતંકીઓને કડક સંદેશ આપ્યોઃ નિકમ

By Super
|
Google Oneindia Gujarati News

Ujjwal_Nikam
મુંબઇ, 21 નવેમ્બરઃ મુંબઇમાં વર્ષ 2008માં થયેલા આતંકવાદી હુમલામાં એકમાત્ર જીવીત પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને બુધાવરે સવારે પુણેની યરવાડા જેલમાં ફાસી આપવામાં આવી. કસાબને ફાંસી પર લટકાવ્યા બાદ વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું કે, હાં, બુધવારે સવારે 7.30 વાગ્યે કસાબને યરવડા કેન્દ્રીય જેલમાં ફાસી આપવામાં આવી. નિકમે અદાલતમાં 26/11ના આતંકવાદી હુમલોના કેસ લડ્યાં હતા.

નિકમે કહ્યું કે આજે કહ્યું કે મુંબઇ હુમલામાં દોષી કસાબને ફાંસી આપવામાં આવતા તે ખુશ છે. મારું ખુશ થવાના બે કારણ છે. પહેલું, મુંબઇ હુમલાના પીડિતોને કંઇક ન્યાય મળ્યો છે અને બીજો આપણે આતંકવાદીઓને કડક સંદેશો આપ્યો છે.

નોંધનીય છે કે કસાબની દયા અરજી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મંગળવારે રાત્રે ખારીજ કરી દીધી હતી. ત્યાર બાદ થોડાક સમય પછી જ કસાબને ભારે સુરક્ષા સાથે પુણેની ઉચ્ચ-સુરક્ષાવાળી યરવડા જેલામાં સ્થળાંતરિત કરવામાં આવ્યો. જેલ પરિસરમાં બુધવારે સવારે 7.30 વાગ્યે તેને ફાંસી આપવામાં આવી. ત્યાર બાદ ડોક્ટર્સની એક ટીમે તેની મોતની ઘોષણા કરી.

English summary
The execution of Ajmal Kasab has sent a loud message to all terror organisations that those indulging in such acts will meet the same fate, special public prosecutor Ujjwal Nikam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X