For Daily Alerts
કાશ્મીરી નેતાઓને મળશે શરતી જામીન, આ મુદ્દા પર બોલતા જ કરાશે જેલભેગા
સરકારે જમ્મુ કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવા માટે ભાગલા વાદી નેતાઓને રાજનીતિક રૂપે નજરકેદ કર્યા હતા.
ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 થોડા સમય પહેલા જ ખતમ કરી દીધી છે. સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ખતમ કર્યા બાદ શાંતિ જાળવી રાખવા માટે અહીંના સ્થાનિક નેતાઓને રાજનીતિક રૂપે નજરકેદ કર્યા હતા. હવે આ નેતાઓને સરકાર એક બોન્ડ પર સહી કરાવીને મુક્ત કરી રહી છે.
બોન્ડ પર છે આ શરતો
બોન્ડ મુજબ જો આ નેતાઓએ કલમ 370 ઉપર બોલશે તો તેમને જેલભેગા કરવામાં આવશે. જો કે આ દેશના સંવિધાનમાં મળેલા અધિકારોનો દુરૂપયોગ છે. શરતી જામીન પર છુટનારા નેતાઓએ કલમ 370 અને કાશ્મીરમાં હાલની સ્થિતિ પર કોઇપણ ટીપ્પણી કરવાની મનાઇ કરવામાં આવી છે.
Comments
English summary
Kashmir leaders getting release on conditions, will be sent to jail for speaking on Article 370