'ED પછી હવે RTIનો ઉપયોગ કરી રહ્યા છે પીએમ મોદી...', એમકે સ્ટાલિને કચ્ચાતિવુ વિવાદ પર સાધ્યુ નિશાન
MK Stalin On Katchatheevu Island Row: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કચ્ચાતિવુ ટાપુ વિવાદને લઈને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાધ્યું છે.
એમકે સ્ટાલિને કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી હવે ED બાદ RTI (રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ)નો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું, "એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને આવકવેરા (IT) પછી, તેઓએ તેમના જોડાણમાં RTIનો પણ સમાવેશ કર્યો છે."

એમકે સ્ટાલિને કહ્યું, "પીએમ મોદી જાણે છે કે જો તેઓ કંઈ પણ કહેશે તો લોકો તેમના પર વિશ્વાસ નહીં કરે, તેથી તેઓ આરટીઆઈનો ઉપયોગ નૌટંકી માટે કરી રહ્યા છે." સ્ટાલિને એવો પણ સવાલ કર્યો હતો કે વડાપ્રધાન મોદીને ઉત્તર પ્રદેશમાં કચ્ચાતિવુ વિવાદ માટે બોલવાની શા માટે જરુર પડી?
કચ્ચાતિવુ વિવાદ પર પીએમ મોદીના આરોપો બાદ એમકે સ્ટાલિને તીખો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કચ્ચાતિવુ ટાપુ વિવાદ પર કોંગ્રેસની ટીકા કરી હતી જ્યારે આરટીઆઈ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 1974માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા કચ્ચાતિવુ ટાપુ શ્રીલંકાને સોંપવામાં આવ્યો હતો.
એમકે સ્ટાલિને એમ પણ કહ્યું હતું કે, સામાજિક ન્યાય અને સમાનતા સ્થાપિત કરવા માટે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવી જોઈએ. તેમણે કહ્યું કે, ભાજપ એ પણ જાણતી હતી કે દક્ષિણ અને ઉત્તર રાજ્યોના લોકો તેમને સત્તા પરથી હટાવી દેશે.
પીએમ મોદીની ટીકા કરતા સ્ટાલિને કહ્યું છે કે તેમણે જે કહ્યું છે કે તેઓ EDની કાર્યવાહીથી અજાણ છે તે સમજની બહાર છે. તેમણે કહ્યું, "શું તમને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી (હેમંત સોરેન) અને દિલ્હીના મુખ્યમંત્રી(અરવિંદ કેજરીવાલ)ની ધરપકડ વિશે ખબર નથી? કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રીઝ કર્યા બાદ ઈન્કમટેક્સે સુપ્રીમ કોર્ટમાં યુ-ટર્ન લઈ લીધો હતો. તો તમને ખબર ન હતી કે IT, ED અને CBI શું કરી રહ્યા છે?
તેમણે એમ પણ કહ્યું કે જેમને 'દ્રવિડમ' શબ્દ પસંદ નથી તેઓ પોતાને ધર્મના દુશ્મન બતાવી રહ્યા છે. સ્ટાલિને કહ્યું, "અમે સાંપ્રદાયિકતાના દુશ્મન છીએ, જે લોકોને વિભાજિત કરે છે, ધર્મને નહીં. એમ કરુણાનિધિની શૈલીમાં કહીએ તો, અમે એવો દાવો નથી કરતા કે મંદિર ન હોવું જોઈએ નહીં, પરંતુ અમે દાવો કરીએ છીએ કે મંદિર કોઈનુ શિબિર ન હોવું જોઈએ. એકંદરે, અમે એ લોકોના દુશ્મન છીએ, જે લોકોમાં ભાગલા પાડવા માટે ધર્મનો ઉપયોગ કરે છે.''
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
