શીલા દીક્ષિતના ઘર સામે ધરણા કરી રહેલ કેજરીવાલની ધરપકડ

ઓખલાના શાહીન બાગમાં 500 પરિવારોના ઘરોને તોડવાની સામે શુક્રવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ પીડિતોની સાથે મુખ્યમંત્રી શીલા દીક્ષિત સાથે મુલાકાત માટે પહોંચ્યા પરંતુ મુખ્યમંત્રીએ કેજરીવાલ સાથે મુલાકાત કરવાની ના કહી દીધી.
આથી કેજરીવાલે ફરી પોતાના સાથીયો અને પીડિતો સાથે ધરણા પર બેસી ગયા. દરમિયાનમાં પોલીસે બળપ્રયોગ કરીને ભીડને હટાવવાનું શરૂ કરી દીધું. પોલીસે બળજબરીપૂર્વક કેજરીવાલ અને તેમના સાથીયો મનીષ સિસોદિયા, કુમાર વિશ્વાસની પણ ધરપકડ કરી છે.
કેજરીવાલે જણાવ્યુ કે તેમની સાથે અત્રે આવેલા પીડિતો પોતાની જમીનના કાગળીયા પણ લાવ્યા છે. પરંતુ સરકારનું કહેવું છે કે તેમના મકાન નિયમાનુસાર ન્હોતા. કેજરીવાલે જણાવ્યું કે 1600 કોલોનિયોને લીગલ જાહેર કરવાની વાત કરી હતી, તેમાં આ કોલોનીનો પણ સમાવેશ થાય છે જે મકાન તોડી પાડવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
