For Quick Alerts
For Daily Alerts
શીલા દીક્ષિતના ઘર સામે ધરણા કરી રહેલ કેજરીવાલની ધરપકડ
ઓખલાના શાહીન બાગમાં 500 પરિવારોના ઘરોને તોડવાની સામે શુક્રવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ પીડિતોની સાથે મુખ્યમંત્રી શીલા દીક્ષિત સાથે મુલાકાત માટે પહોંચ્યા પરંતુ મુખ્યમંત્રીએ કેજરીવાલ સાથે મુલાકાત કરવાની ના કહી દીધી.
આથી કેજરીવાલે ફરી પોતાના સાથીયો અને પીડિતો સાથે ધરણા પર બેસી ગયા. દરમિયાનમાં પોલીસે બળપ્રયોગ કરીને ભીડને હટાવવાનું શરૂ કરી દીધું. પોલીસે બળજબરીપૂર્વક કેજરીવાલ અને તેમના સાથીયો મનીષ સિસોદિયા, કુમાર વિશ્વાસની પણ ધરપકડ કરી છે.
કેજરીવાલે જણાવ્યુ કે તેમની સાથે અત્રે આવેલા પીડિતો પોતાની જમીનના કાગળીયા પણ લાવ્યા છે. પરંતુ સરકારનું કહેવું છે કે તેમના મકાન નિયમાનુસાર ન્હોતા. કેજરીવાલે જણાવ્યું કે 1600 કોલોનિયોને લીગલ જાહેર કરવાની વાત કરી હતી, તેમાં આ કોલોનીનો પણ સમાવેશ થાય છે જે મકાન તોડી પાડવામાં આવ્યા છે.
Comments
aap arvind kejriwal sheila dikshit congress દિલ્હી મુખ્યમંત્રી શીલા દીક્ષિત ધરણા આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ
English summary
AAP leader Arvind Kejriwal and scores of people were detained from outside Chief Minister Sheila Dikshit's residence today during their protest against demolition of buildings in a south Delhi locality.
Story first published: Friday, December 7, 2012, 15:07 [IST]