પોતાના બજેટમાં નિઃશુલ્ક યોજનાઓ ચાલુ રાખશે કેજરીવાલ સરકાર

પોતાના બજેટમાં નિઃશુલ્ક યોજનાઓ ચાલુ રાખશે કેજરીવાલ સરકાર

કેજરીવાલ સરકાર આ વખતે પણ પોતાના બજેટમાં તમામ નિઃશુલ્ક યોજનાઓ ચાલુ રાખશે. સરકારે વીજળી પર સબ્સિડી માટે આ વખતે 3200 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ રાખ્યો છે. 2020ના બજેટમાં 2820 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. ઘરેલૂ ઉપભોક્તાઓ ઉપરાંત ખેડૂતો, વકીલોની ચેમ્બર્સ, સિખ રમખાણ પીડિતોને પણ સબ્સિડી ચાલુ રાખવાની સરકારની યોજના છે.

kejariwal

આવી જ રીતે કોઈપણ પ્રકારના ચાર્જ વિના 20 હજાર લીટર પાણી મળતુ્ં ચાલુ રહેશે. ડીટીસી અને ક્લસ્ટર બસોમાં મહિલાઓ પહેલાની જેમ જ મફતમાં યાત્રા કરી શકશે. દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર 23 માર્ચે શરૂ થવા જઈ રહ્યું છે. દિલ્હી સરકાર આ સત્રમાં 2022-23 માટે 25 માર્ચના રોજ બજેટ રજૂ કરી શકે છે.

ઉપરાજ્યપાલ અનિલ બૈજલ 23 માર્ચે 11 વાગ્યે સદનને સંબોધિત કરશે. કોરોના સંક્રમણની અસર હાલ ભલે ઓછી હોય, પરંતુ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય વેક્સીનેટેડ હશે. માસ્ક પહેરવું ફરજીયાત હશે. આ દરમિયાન 23, 24, 25, 28 અને 29 માર્ચ માટે સદનમાં બેસવાની વ્યવસ્થા બનાવી લેવામાં આવી છે. દિલ્હી વિધાનસભા મુજબ જરૂરીયાત મુજબ સનદની બેઠક વધારી પણ શકાય છે. આ વખતે દિલ્હીના બજેટમાં જનતાની સાથે વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સરકારને મળેલ 5700 ટીપ્સ પણ બજેટમાં સામેલ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X