Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઠાકરે પર FB કોમેન્ટ વિવાદમાં હવે કેજરીવાલની એન્ટ્રી

bal-thackeray-facebook
નવીદિલ્હી, 20 નવેમ્બરઃ શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના નિધન બાદ સોમવારે જ્યારે આખું મુંબઇ શોકમાં ડુબેલું હતું ત્યારે મુંબઇ પોલીસ અચનાક બે યુવતીઓની ધરપકડ કરવા માટે તેમના ઘરે પહોચી ગઇ હતી. કારણ હતું ફેસબુક કોમેન્ટ. એટલે કે વિચાર વ્યક્ત કરવાની આઝાદી પર ફરી એકવાર પ્રહાર. આ વિવાદમાં આજે અરવિંદ કેજરીવાલ પર કૂદી પડ્યા છે.

મુંબઇના પાલઘર વિસ્તારમાં રહેતી યુવતી શાહીને ફેસબુક પર એક આપત્તિજનક કોમેન્ટ કરી હતી અને ત્યાર બાદ યુવતીના કાકાની હોસ્પિટલ પર શિવસૈનિકોએ તોડફોડ કરી હતી. યુવતી દ્વારા લખવામાં આવેલી કોમેન્ટને તેની એક મિત્રએ લાઇક કરી હતી. આ વાત મુંબઇ પોલીસ સુધી પહોંચી અને મુંબઇ પોલીસની મહિલા ટૂકડી ઉક્ત યુવતીના ઘરે પહોંચી અને બન્નેની અટકાયત કરી, તેમજ ફેસબુક પર માફીનામું પોસ્ટ કરવા કહ્યું. પોલીસથી ડરીને શાહીને તુરત પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી અને માફીનામુ પણ લખ્યું.

નવ લોકોની ધરપકડ

મંગળવારે સવારે પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે. આ તમામ પર ઉક્ત યુવતીના કાકાની હોસ્પિટલમાં તોડફોડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પકડાયેલા નવ લોકોએ હોસ્પિટલમાં ઘુસીને દર્દીઓ સાથે મારપીટ પણ કરી હોવાનો આરોપ છે.

કેજરીવાલે કર્યો પોલીસનો વિરોધ

આઇએસી કાર્યકર્તા અરવિંદ કેજરીવાલે ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે આ બન્ને પોલીસ અધિકારીઓને પદ પરથી બરખાસ્ત કરવા જોઇએ, જેમણે યુવતીઓની ફેસબુક પોસ્ટના કારણે ધરપકડ કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આ રીતે સરકાર આપણી વાત રજૂ કરવાની આઝાદીને છીનવી રહી છે, જે સંવિધાનની વિરુદ્ધ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X