દિલ્હીમાં સચિવાલય બહાર ‘આપ’નો જનતા દરબાર
નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના મંત્રીઓ સાથે દિલ્હીના રસ્તા પર ઉતરી ગયા છે. જનતાની ફરિયાદ સાંભળવા માટે અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી સચિવાલયના રસ્તા પર ઉતર્યા છે. રસ્તા પર આવીને કેજરીવાલ અને તેમના મંત્રી જનતાઓની મુશ્કેલીઓને હલ કરશે.

દિલ્હી સચિવાલયની બહાર લગાવવામાં આવી રહેલા પોલીસ બેરિયર અને સુરક્ષાની વ્યવસ્થા શુક્રવારે સાંજથી જ શરૂ કરી દેવામાં આવી હતી. કેજરીવાલ સરકારે પહેલા જનતા દરબાર માટે તમામ આયોજન કરી લીધા છે. આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકારે દર શનિવારે સચિવાલય બહાર જનતા દરબાર લગાવવાની ઘોષણા કરી છે.












Click it and Unblock the Notifications
