કેજરીવાલને મોટી કોર્પોરેટ હસ્તીઓનું ફંડિંગ

મેઇલ ટૂડે નામના સમાચાર પત્રએ આ અહેવાલ રજૂ કર્યો છે. સમાચાર પત્રના અહેવાલ અનુસાર મુંબઇ સ્ટોક બ્રોકિંગ ફર્મ એનએમ સિક્યોરિટીએ 2 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. આ કંપનીના માલિક વલ્લભ ભંસાલી છે. રતન ટાટાના સોશિયલ વેલફેરે 25 લાખનો ચેક આપ્યો હતો.
અહેવાલ અનુસાર વિક્રમ લાલની એકરે એકર ગુડવર્થ ટ્રસ્ટના નામથી 3 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. નીમેશ કંપનીના જેએમ ફાઇનાન્સિયલ ફાઉન્ડેશને પચાસ હજારનો ચેક આપ્યો હતો અન્ય સહયોગીઓમાં ઇંડસંડ ઇંક બેન્કના બોસ અને બેન્કર રોમેશ સોબતી પણ શામેલ છે.
અહેવાલમાં નોંધ્યા પ્રમાણે મનિષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલના એકદમ નજીક અને પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ કહ્યું છે,'' નારાયણ મૂર્તિ જેવા કેટલાક કોર્પોરેટ્સ લીડર્સે અમને સહયોગ કર્યો છે. તેમની પાસે કેટલાક સારા વિચારો હતા અને તેઓ નાણાકીય મદદ ઉપરાંત પણ સક્રિય રસ પણ દાખવ્યો હતો અને તેઓ અમારા આરટીઆઇ એવોર્ડ્સના જ્યૂરી મેમ્બર પણ હતા.''
સમાચાર પત્રએ મેળવેલી પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશનની બેલેન્સ શીટમાં જણાવવામાં આવ્યું છે કે કેજરીવાલ અને મનિષ સિસોદિયાની ટીમે ઉક્ત કોર્પોરેટ્સ લીડર્સ પાસેથી 96.5 લાખ સુધીનું દાન મેળવ્યું હતું.












Click it and Unblock the Notifications
