દૂરદર્શનના લાઈવ શોમાં અચાનક આવી ગયુ મોત, ડાયરેક્ટરને સવાલ પૂછતી રહી ગઈ એંકર
કેરળમાં દૂરદર્શનના લાઈવ શો દરમિયાન અચાનક જ ડૉ.એ. દાસનું અવસાન થયું. 59 વર્ષીય દાસ, જેઓ કૃષિ યુનિવર્સિટીના ડાયરેક્ટર હતા, એક કાર્યક્રમ દરમિયાન અચાનક બેભાન થઈ ગયા અને તેમનું મૃત્યુ થયું.
ચેનલના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના કૃષિ દર્શન કાર્યક્રમ દરમિયાન બની હતી. આ કાર્યક્રમ સોમવારથી શુક્રવાર સાંજે 6:30 કલાકે પ્રસારિત થાય છે. આ દરમિયાન જ્યારે એન્કર દાસને સવાલ પૂછી રહી હતી ત્યારે તે બેભાન થઈ ગયા હતા.

આ ઘટના પણ સાંજે સાડા છ વાગ્યે બની હતી. બેભાન થઈ ગયા પછી, કૃષિ નિષ્ણાતને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તમને જણાવી દઈએ કે ડૉ. અની એસ. દાસ કેરળ યુનિવર્સિટીમાં પ્લાનિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. ઘણીવાર તેઓ નિષ્ણાત તરીકે કૃષિ દર્શનના કાર્યક્રમોમાં પણ ભાગ લેતા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે ડાયરેક્ટર બેભાન થઈ ગયા તો તેમને તાત્કાલિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
