દૂરદર્શનના લાઈવ શોમાં અચાનક આવી ગયુ મોત, ડાયરેક્ટરને સવાલ પૂછતી રહી ગઈ એંકર
કેરળમાં દૂરદર્શનના લાઈવ શો દરમિયાન અચાનક જ ડૉ.એ. દાસનું અવસાન થયું. 59 વર્ષીય દાસ, જેઓ કૃષિ યુનિવર્સિટીના ડાયરેક્ટર હતા, એક કાર્યક્રમ દરમિયાન અચાનક બેભાન થઈ ગયા અને તેમનું મૃત્યુ થયું.
ચેનલના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના કૃષિ દર્શન કાર્યક્રમ દરમિયાન બની હતી. આ કાર્યક્રમ સોમવારથી શુક્રવાર સાંજે 6:30 કલાકે પ્રસારિત થાય છે. આ દરમિયાન જ્યારે એન્કર દાસને સવાલ પૂછી રહી હતી ત્યારે તે બેભાન થઈ ગયા હતા.

આ ઘટના પણ સાંજે સાડા છ વાગ્યે બની હતી. બેભાન થઈ ગયા પછી, કૃષિ નિષ્ણાતને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તમને જણાવી દઈએ કે ડૉ. અની એસ. દાસ કેરળ યુનિવર્સિટીમાં પ્લાનિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. ઘણીવાર તેઓ નિષ્ણાત તરીકે કૃષિ દર્શનના કાર્યક્રમોમાં પણ ભાગ લેતા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે ડાયરેક્ટર બેભાન થઈ ગયા તો તેમને તાત્કાલિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.












Click it and Unblock the Notifications
