કેરનમાં 15માં દિવસે પણ અથડામણ જારી, PMએ બોલાવી સેના પ્રમુખોની બેઠક
શ્રીનગર, 8 ઓક્ટોબર: જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં સેના અને આતંકવાદીઓની વચ્ચે આજે 15માં દિવસે પણ અથડામણ ચાલુ છે. સેના અને ઘુસણખોરોની વચ્ચેની આ અથડામણે સરહદી વિસ્તારોની સાથે સાથે દિલ્હીમાં પણ તણાવની સ્થિતિ પેદા કરી દીધી છે. આ સ્થિતિ અંગે માહિતી મેળવવા માટે વડાપ્રધાને આજે ત્રણે સેના પ્રમુખોની મહત્વની બેઠક બોલાવી છે.
આ બેઠકમાં આર્મીના પ્રમુખ જનરલ વિક્રમ સિંહ સરહદ પર ઘુસણખોરી અને સૈન્ય કાર્યવાહીની જાણકારી આપશે. આ મહત્વની બેઠકમાં વડાપ્રધાનની સાથે સાથે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, નાણામંત્રી પી. ચિદમ્બરમ અને સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન પણ હાજર રહેશે.
તેમની પાસેથી 7 એકે-47, 4 પિસ્ટલ, 1 સ્નાઇપર રાઇફલ, 20 યૂબીજીએલ ગ્રેનેડ, 2 રેડિયો સેટ જપ્ત કર્યા છે. આ ઉપરાંત ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને દવાઓ પણ જપ્ત કરી છે. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર આ અભિયાનમાં હજી સુધી લગભગ બે ડજન આતંકીઓ ઠાર મરાયા છે. હજી સુધી વિસ્તારમાં લગભગ 30 આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે.