For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યાના ઐતિહાસિક ચુકાદા પર શું બોલ્યા પ્રધાનમંત્રી મોદી

ચુકાદો આવ્યા બાદ દરેક પક્ષનુ એ જ કહેવુ છે કે તે આનુ સમ્માન કરે છે. હવે અયોધ્યા ચુકાદા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

દશકોથી પેન્ડીંગ અને રાજકીય રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની પીઠે ચુકાદો સંભળાવી દીધો છે. ચુકાદો આવ્યા બાદ દરેક પક્ષનુ એ જ કહેવુ છે કે તે આનુ સમ્માન કરે છે. હવે અયોધ્યા ચુકાદા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યુ છે.

શાંતિ અને સંયમનો પરિચય

શાંતિ અને સંયમનો પરિચય

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ‘આ ચુકાદો ન્યાયિક પ્રક્રિયાઓમાં જન સામાન્યના વિશ્વાસને વધુ મજબૂત કરશે. આપણી દેશની હજારો જૂની ભાઈચારાની ભાવનાને અનુરુપ આપણે 130 કરોડ ભારતીયોને શાંતિ અને સંયમનો પરિચય આપવો છે. ભારતના શાંતિપૂર્ણ સહ અસ્તિત્વની અંતર્નિહિત ભાવનાનો પરિચય આપવાનો છે.'

શું છે ચુકાદો

સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો છે. નિર્મોહી અખાડાના દાવે ફગાવી દઈને સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડને જ પક્ષકાર માન્યા છે. કોર્ટે ઈલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને અતાર્કિક ગણાવી દીધો છે. કોર્ટે કહ્યુ કે સુન્ની વકફ બોર્ડને ક્યાંક બીજે 5 એકર જમીન આપવામાં આવે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવે. આમાં નિર્મોહી અખાડાને પણ પ્રતિનિધિત્વ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયાઃ અમે રામ મંદિર નિર્માણના પક્ષમાં છીએઆ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયાઃ અમે રામ મંદિર નિર્માણના પક્ષમાં છીએ

રામલલાની છે વિવાદિત જમીન

રામલલાની છે વિવાદિત જમીન

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ચુકાદો સંભળાવીને કહ્યુ કે વિવાદિત સ્થળ પર 1856-57 સુધી નમાઝ પઢવાના પુરાવા નથી. હિંદુ આ પહેલા આંતરિક હિસ્સામાં પણ પૂજા કરતા હતા. હિંદુ બહાર સદીઓથી પૂજા કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે 2.77 એકર જમીનનો માલિકી હક રામલલા વિરાજમાનને આપી દીધો છે. કોર્ટે આગળ કહ્યુ કે દરેક ધર્મના લોકોને બંધારણમાં સમાન સમ્માન આપવામાં આવ્યુ છે.

40 દિવસો સુધી ચાલી સુનાવણી

40 દિવસો સુધી ચાલી સુનાવણી

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે 40 દિવસો સુધી કેસની સુનાવણી કર્યા બાદ 16 ઓક્ટોબરે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. અયોધ્યા પર થયેલી સુનાવણી 68 દિવસ સુધી ચાલી હતી. અયોધ્યા પર ચુકાદો લેતી બેંચમાં ગોગોઈ ઉપરાંત જસ્ટીસ એસએ બોબડે, ડીવાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને અબ્દુલ નઝીર છે.

English summary
know what prime minister narendra modi said about the verdict of ayodhya which supreme court of india today delivered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X