Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અયોધ્યાના ઐતિહાસિક ચુકાદા પર શું બોલ્યા પ્રધાનમંત્રી મોદી

ચુકાદો આવ્યા બાદ દરેક પક્ષનુ એ જ કહેવુ છે કે તે આનુ સમ્માન કરે છે. હવે અયોધ્યા ચુકાદા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યુ છે.

દશકોથી પેન્ડીંગ અને રાજકીય રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની પીઠે ચુકાદો સંભળાવી દીધો છે. ચુકાદો આવ્યા બાદ દરેક પક્ષનુ એ જ કહેવુ છે કે તે આનુ સમ્માન કરે છે. હવે અયોધ્યા ચુકાદા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યુ છે.

શાંતિ અને સંયમનો પરિચય

શાંતિ અને સંયમનો પરિચય

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ‘આ ચુકાદો ન્યાયિક પ્રક્રિયાઓમાં જન સામાન્યના વિશ્વાસને વધુ મજબૂત કરશે. આપણી દેશની હજારો જૂની ભાઈચારાની ભાવનાને અનુરુપ આપણે 130 કરોડ ભારતીયોને શાંતિ અને સંયમનો પરિચય આપવો છે. ભારતના શાંતિપૂર્ણ સહ અસ્તિત્વની અંતર્નિહિત ભાવનાનો પરિચય આપવાનો છે.'

શું છે ચુકાદો

સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો છે. નિર્મોહી અખાડાના દાવે ફગાવી દઈને સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડને જ પક્ષકાર માન્યા છે. કોર્ટે ઈલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને અતાર્કિક ગણાવી દીધો છે. કોર્ટે કહ્યુ કે સુન્ની વકફ બોર્ડને ક્યાંક બીજે 5 એકર જમીન આપવામાં આવે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવે. આમાં નિર્મોહી અખાડાને પણ પ્રતિનિધિત્વ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રામલલાની છે વિવાદિત જમીન

રામલલાની છે વિવાદિત જમીન

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ચુકાદો સંભળાવીને કહ્યુ કે વિવાદિત સ્થળ પર 1856-57 સુધી નમાઝ પઢવાના પુરાવા નથી. હિંદુ આ પહેલા આંતરિક હિસ્સામાં પણ પૂજા કરતા હતા. હિંદુ બહાર સદીઓથી પૂજા કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે 2.77 એકર જમીનનો માલિકી હક રામલલા વિરાજમાનને આપી દીધો છે. કોર્ટે આગળ કહ્યુ કે દરેક ધર્મના લોકોને બંધારણમાં સમાન સમ્માન આપવામાં આવ્યુ છે.

40 દિવસો સુધી ચાલી સુનાવણી

40 દિવસો સુધી ચાલી સુનાવણી

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે 40 દિવસો સુધી કેસની સુનાવણી કર્યા બાદ 16 ઓક્ટોબરે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. અયોધ્યા પર થયેલી સુનાવણી 68 દિવસ સુધી ચાલી હતી. અયોધ્યા પર ચુકાદો લેતી બેંચમાં ગોગોઈ ઉપરાંત જસ્ટીસ એસએ બોબડે, ડીવાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને અબ્દુલ નઝીર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X