sc verdict on same sex marriages: સમલૈંગિકતા અંગે સુપ્રિમ કોર્ટે કહીં આ વાત
sc verdict on same sex marriages: સુપ્રીમ કોર્ટ આજે સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યકા આપવા પર પોતાનો ચુકાદો આપશે. આ પહેલા મે મહિનામાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણ બેચે અંદાજે 10 દિવસની સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
આ અરજીઓની સુનાવણી કરનારા જજોની બેચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ એસઆર ભટ્ટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.

હવે આ મામલે આજે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય આવવાનો છે. અગાઉ સુનાવણી દરમિયાન, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતાની માંગ કરતી અરજીઓ પર તેના દ્વારા કરવામાં આવેલી કોઈપણ બંધારણીય ઘોષણા યોગ્ય પગલાં હોઈ શકે નહીં. કારણ કે, સુપ્રીમ કોર્ટ પાસે તેના પરિણામોની આગાહી કરવાની સત્તા છે, તે અનુમાન લગાવી શકતા નથી, સમજી શકતા નથી અને તેમની સાથે વ્યવહાર કરી શકતા નથી.
સાત રાજ્યોમાંથી પ્રતિસાદ મળ્યા - કેન્દ્ર સરકારે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે, તેને સમલૈંગિક લગ્નના મુદ્દે સાત રાજ્યો તરફથી જવાબો મળ્યા છે અને રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને આસામની સરકારોએ સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની અરજીકર્તાઓની અરજીનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે 18 એપ્રિલના રોજ આ કેસની સુનાવણી શરૂ કરી હતી.
સંસદ-કેન્દ્ર પર છોડી દેવી જોઈએ - આ મામલે કેન્દ્ર સરકારનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટે આ બાબત સંસદ પર છોડી દેવી જોઈએ. સુનાવણી દરમિયાન સરકાર વતી કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, જૈવિક પિતા અને માતા બાળકને જન્મ આપી શકે છે, આ કુદરતી નિયમ છે, તેની સાથે છેડછાડ ન થવી જોઈએ. સમલૈંગિક લગ્નને મંજૂરી આપવામાં આવે, તો પણ પુરુષ-પુરુષના લગ્નમાં પત્ની કોણ હશે?
કોર્ટ કાયદાના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકે નહીં - કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, કોર્ટ ન તો કાયદાકીય જોગવાઈઓને ફરીથી લખી શકે છે અને ન તો કોઈપણ કાયદાના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકે છે, જે તેની રચના સમયે કલ્પના કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કોર્ટને સમલૈંગિક લગ્નોને કાયદેસર બનાવવા અંગેની અરજીઓમાં ઉઠાવેલા પ્રશ્નોને સંસદમાં છોડી દેવા અંગે વિચારણા કરવા વિનંતી કરી હતી.












Click it and Unblock the Notifications
