Bihar News કટિહારમાં ટ્રકઅને ઓટો વચ્ચે અકસ્માત, ભીષણ અકસ્માતમાં 8 લોકોની મોત
બિહારના કટિહારીમાં અકસ્માતમાં 8 લોકોના ઘટના સ્થળેજ મોત થયા હતા. આ અકસ્માત રીક્ષા અને ટ્રક વચ્ચે થયો હતો. કટીહારીમાં એક પેટ્રોલ પંપ નજીક આ ગમખ્વાર અકસ્માતમાં લોકોએ પોતાના જીવ ગુમાવ્ય ાહતા.
સમુગ્ર ઉત્તર ભારત શીત લહેરની જપટમાં છે. દરેક ધુમ્મસ છવાયેલુ છે. જેના લીધે વિજિબિલિટી પણ ઓછી છે. અને તેના લીધે દુર્ઘના થઇ રહી છે. આ વચ્ચે બિહારના કટિહારી જિલ્લામાં સોમવારે દુર્ઘટના સર્જાય હતી. યાત્રીઓથી ભરેલી ઓટોને ટ્રેકે ટક્કર મારી હતી. આ ટક્કરમાં 8 લોકોની મોત થયા હતા. સ્થાનિક લોકોએ મૃતદેહોને ઓટોમાથી બહાર કાઢ્યાહ તા.
મળતી માહિતી અનુસાર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. આ દુર્ઘટના દિધરી પટ્રોલ પંપ નજીક બની હતી. કોઢા થાના ક્ષેત્ર હાઇવે 81 દિધરી પેટ્રોલ પંપ પાસે ઓટોને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. સ્થાનિક લોકો અસક્માતને પગલે ઘટના સ્થળે પહોચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આજે સેનગલમાં મોટી દુર્ઘટના સામે આવી હતી અંહી બે બસોની ભીડમાં 40 લોકોની મોથ થયા હતા. રિપોર્ટ અનુસાર સેટ્રલ સેનેગલના કેફરીન શહેરમાં બે બસો વચ્ચે ટક્કર થઇ ગઇ હતી. જેમા 40 લોકોની મોત થઇ હતી. જ્યારે 85 કરતા વધારે ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવ્યા હતા. અંહી તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.