Kolkata: મેટ્રો માટે ટનલ ના ખોદકામ દરમિયાન 10 ઘરોમાં આવી તિરાડ, લોકોને હોટલને કરાયા શિફ્ટ
કોલકાતાના બઉબજાર વિસ્તારમાં ઈસ્ટ-વેસ્ટ મેટ્રોના અંડરગ્રાઉન્ડ ટનલના નિર્માણ કાર્ય દરમિયાન 10થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. આજે સવારે 7 વાગ્યાની આસપાસ આ તિરાડો જોવા મળી હતી. ઘરોમાં તિરાડો જોઈને લોકો ઘરની બહાર નીકળીને રસ
કોલકાતાના બઉબજાર વિસ્તારમાં ઈસ્ટ-વેસ્ટ મેટ્રોના અંડરગ્રાઉન્ડ ટનલના નિર્માણ કાર્ય દરમિયાન 10થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. આજે સવારે 7 વાગ્યાની આસપાસ આ તિરાડો જોવા મળી હતી. ઘરોમાં તિરાડો જોઈને લોકો ઘરની બહાર નીકળીને રસ્તાના કિનારે બેસી ગયા હતા. લોકોને ઘર પડી જવાનો ડર હતો. કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન (KMRC)ના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે આવી સમસ્યા સામે આવ્યા બાદ 140 થી વધુ લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને નજીકની હોટલોમાં ખસેડવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બઉબજાર મેટ્રો ટનલમાં કામ દરમિયાન પાણી લીક થવાને કારણે શુક્રવારે સવારે મદન દત્તા લેનના કેટલાય ઘરોમાં મોટી તિરાડો જોવા મળી હતી. 10થી વધુ મકાનોમાં તિરાડો જોયા બાદ વિસ્તારના લોકો ભયભીત થઈને ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. તે જ સમયે, મકાનોમાં તિરાડો પડવાની માહિતી મળતા જ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને બાંધકામ એજન્સી કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (KMRCL) સહિત પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મકાન તૂટવાની ઘટનાથી લોકો ગભરાટમાં છે અને ઘર છોડીને રસ્તા પર આવી ગયા છે. આ દરમિયાન KMRCના જનરલ મેનેજરે કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 140 લોકોને નજીકની હોટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે KMRCLએ 100 ચોરસ ફૂટ સુધીના નુકસાન માટે રૂ. 1 લાખ અને 100 ચોરસ ફૂટથી વધુના નુકસાન માટે રૂ. 5 લાખનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે. સાથે સાથે પાણીના લીકેજને રોકવાના પ્રયાસો ચાલુ છે.
સ્થાનિક તૃણમૂલ ધારાસભ્ય નયના બંદોપાધ્યાય બીજેપી કાઉન્સિલર સજલ ઘોષ અને વરિષ્ઠ ડાબેરી નેતા મોહમ્મદ સલીમ ઘરોમાં તિરાડોની માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પીડિતો સાથે વાત કર્યા બાદ તમામ સહયોગની ખાતરી આપી હતી. આ દરમિયાન તૃણમૂલ ધારાસભ્ય નયના બંધોપાધ્યાયે કહ્યું કે, 'અત્યાર સુધી આ કામ બંધ હતું, પરંતુ પછી મેટ્રોએ કામ શરૂ કરતાની સાથે જ તિરાડો પડવા લાગી. અમે હજુ પણ નથી જાણતા કે માટી અંદર કેટલો સમય સ્થિર રહેશે. અમારી અપીલ છે કે મેટ્રો મેનેજમેન્ટ જણાવે કે પરિસ્થિતિ શું છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
