7 કરોડ દહેજ લીધા બાદ પણ પૂરી ન થઈ લાલચ, કંટાળીને મહિલાએ જીવન ટૂંકાવ્યુ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં એક દહેજ ઉત્પીડનનો કેસ સામે આવ્યો છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં એક દહેજ ઉત્પીડનનો કેસ સામે આવ્યો છે. જેમાં કોલકત્તાના પૉશ વિસ્તારમાં રહેતી એક 25 વર્ષીય મહિલાઓ આત્મહત્યા કરી લીધી છે. 25 વર્ષની રાશિકા અગ્રવાલે સાસરિયાવાળાના ત્રાસથી કંટાળીને પોતાનો જીવ આપી દીધો છે. રાશિકા અગ્રવાલની આત્મહત્યા બાદ તેના પરિવારવાળાએ સાસરિયાવાળા સામે દહેજ માટે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. મૃત મહિલાના પરિવારવાળાએ આરોપ લગાવ્યો છે કે લગ્નમાં છોકરાવાળાએ બાકી ખર્ચા છોડીને દહેજ માટે સાત કરોડ રૂપિયા લીધા હતા. રાશિકાના મોત બાદ પરિવારવાળાની માંગ છે કે તેમની દીકરીને ન્યાય મળે.
યુવતીના પરિવારવાળાએ પોલિસ ફરિયાદમાં કહ્યુ છે કે સાસરિયાવાળાએ સાત કરોડ રૂપિયાનો દહેજ લીધો હતો. પરંતુ ત્યારબાદ તેમની લાલચ વધી ગઈ જેના માટે તેમણે રાશિકાને હેરાન કરી. રાશિકાએ આત્મહત્યા કરતા પહેલા પોતાના પિતાને મેસેજ કરીને લખ્યુ હતુ કે હવે તમે મને યાદ ન કરતા.
રાહુલ ગાંધીએ મોંઘવારી માટે શરૂ કર્યુ સ્પીકઅપ અભિયાન