Lakhimpur Kheri violence : સુમિત જયસ્વાલ સહિત વધુ 4 આરોપીઓની ધરપકડ
પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી હિંસા કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની વચ્ચે સુમિત અગ્રવાલ નામનો એક આરોપી છે, જે એક કથિત વીડિયોમાં ઘટના બાદ જીપમાંથી ભાગતો જોવા મળ્યો હતો.
Lakhimpur Kheri violence : પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી હિંસા કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની વચ્ચે સુમિત અગ્રવાલ નામનો એક આરોપી છે, જે એક કથિત વીડિયોમાં ઘટના બાદ જીપમાંથી ભાગતો જોવા મળ્યો હતો.
#UPDATE | Lakhimpur Kheri violence: Accused Sumit Jaiswal, Shishupal, Nandan Singh Bisht and Satya Prakash Tripathi arrested by Lahimpur Kheri Police and SWAT team of Crime Branch.
— ANI UP (@ANINewsUP) October 18, 2021
Licensed revolver and three bullets recovered from Satya Prakash Tripathi and seized. pic.twitter.com/q4cEWcjQoT
આ ઉપરાંત શિશુપાલ, નંદન સિંહ બિષ્ટ અને સત્ય પ્રકાશ ત્રિપાઠીની પણ લખીમપુર ખેરી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની SWAT (SWAT) ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સત્ય પ્રકાશ ત્રિપાઠી પાસેથી લાઇસન્સવાળી રિવોલ્વર અને ત્રણ ગોળીઓ પણ જપ્ત કરી હતી.
લખીમપુર હિંસામાં વધુ ચાર આરોપીઓની ધરપકડ
લખીમપુર ખેરી પોલીસ અને ક્રમ બ્રાન્ચે IPC ની કલમ 147, 148, 149, 279, 338, 304 A, 302 અને 120 B હેઠળ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આઆરોપીઓમાં સુમિત જયસ્વાલ લખીમપુર ખેરીના અયોધ્યાપુરીનો રહેવાસી છે, શિશુપાલ પણ ખેરીના ટીકુનિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, નંદન સિંહ બિશ્ત પોલીસસ્ટેશન ગાઝીપુર, લખનઉનો રહેવાસી છે અને ચોથો આરોપી સત્ય પ્રકાશ ત્રિપાઠી ઉર્ફે સત્યમ કૌશાંબી જિલ્લાના કરારી પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. હાલમાંએસઆઈટીના અધિકારીઓ આ ચારેય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહ્યા છે.
અગાઉ ચાર આરોપીઓની ન્યાયિક કસ્ટડીમાંથી કરાઇ હતી ધરપકડ
આ કેસના બાકીના આરોપીઓ અંકિત દાસ, લતીફ અને ડ્રાઈવર શેખરને પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ રવિવારના રોજ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાહતા.
મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા પહેલાથી જ જેલમાં છે. જેલરે જણાવ્યું છે કે, હાલમાં જે ચાર આરોપીઓને ન્યાયિકકસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, તેમને અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. વિરોધ કરી રહેલા ખેડૂતોનો આરોપ છે કે, મંત્રીનો પુત્ર આશિષ એસયુવીમાં હાજર હતો, જેનેવિરોધ કરી રહેલા ખેડૂતોને કચડી નાખ્યા હતા અને તેથી તેઓ અજય મિશ્રાને બરતરફ કરવાની માગ કરી રહ્યા છે અને સોમવારના રોજ રેલ રોકો આંદોલન પણ કર્યુંછે.
કેન્દ્રીય મંત્રી હિંસા માટે સ્થાનિક પોલીસને જવાબદાર ઠેરવે છે
બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રા ટેનીએ આ હિંસા માટે સ્થાનિક પોલીસને જવાબદાર ગણાવી છે, જેમાં કુલ 8 લોકો માર્યા ગયા હતા. ટેનીએ રવિવારે સિંઘા ખુર્દ ગામમાં ઘટનામાં માર્યા ગયેલા ત્રણ ભાજપના કાર્યકરો માટે શ્રદ્ધાંજલિ સભા દરમિયાન આ આરોપ લગાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ 3 ઓક્ટોબરનીઘટના વિશે જણાવ્યું હતું કે, શ્યામ સુંદર નિષાદ, ભાજપના ત્રણ કાર્યકરોમાંથી એક જીવતો હતો અને એમ્બ્યુલન્સ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ પોલીસની હાજરીમાં તેનેખેંચીને મારી નાંખવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ગુપ્તચર માહિતી હોવા છતાં પોલીસે આ વિસ્તારની યોગ્ય તપાસ કરી નથી અને રસ્તા પર બેરિકેડપણ કર્યું નથી.