Lakhimpur Kheri violence : સુપ્રીમ કોર્ટનો સવાલ, ઘટનાસ્થળે સેંકડો લોકો હતા તો માત્ર 23 જ સાક્ષીઓ કેમ?
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં બનેલી ઘટનાને લઈને મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ઉત્તર પ્રદેશની કાર્યશૈલી પર નારાજગી વ્યક્ત કરી છે.
Lakhimpur Kheri violence : ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં બનેલી ઘટનાને લઈને મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ઉત્તર પ્રદેશની કાર્યશૈલી પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સાક્ષીઓના નિવેદનો નોંધવામાં વિલંબ અંગે વાત કરતાં તેને ઝડપી લેવા જણાવ્યું હતું. એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે, ઘટના સમયે સેંકડો લોકો હાજર હતા, તો માત્ર 23 સાક્ષીઓ કેમ છે.
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ઘટનાના સાક્ષીઓને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે સાક્ષીઓના નિવેદનો ઝડપથી નોંધવાનો નિર્દેશ પણ આપ્યો છે. કોર્ટે યુપી સરકારને લખીમપુર હિંસામાં પત્રકાર રમણ કશ્યપ અને એક શ્યામ સુંદરની હત્યાની તપાસ પર જવાબ દાખલ કરવા પણ કહ્યું છે.
લખીમપુર ઘટનામાં આરોપી ગૃહ રાજ્યમંત્રીનો પુત્ર
ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લાના ટિકુનિયા ગામમાં હિંસા અને આગચંપીમાં આઠ લોકો માર્યા ગયા હતા. જેમાં ચાર ખેડૂતો અને અન્ય ચારનો સમાવેશ થાય છે.
લખીમપુર ખેરીના સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા પર આ કેસમાં હત્યાનો આરોપ છે. તેના પર ખેડૂતોને વાહન ચલાવીનેમારવાનો આરોપ છે.
સુપ્રીમ કોર્ટે સ્ટેટસ રિપોર્ટમાં વિલંબ બદલ યુપી સરકારને આપ્યો હતો ઠપકો
સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસામાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં વિલંબ બદલ ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો આપ્યો છે.
કોર્ટે જણાવ્યું છે કે, યુપી સરકાર આ કેસમાંપોતાના પગ પાછળ ખેંચી રહી છે. તેમને લાગે છે કે, રાજ્ય સરકાર આ મામલે તેના પગ ખેંચી રહી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યુંછે કે, અમે ગઈ રાત સુધી રાહ જોઈ હતી, પરંતુ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી. જો કે, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું હતું કે, રિપોર્ટ દાખલ કરવામાંઆવ્યો છે.
લખીમપુર ખેરી કેસમાં કુલ 10 ધરપકડ
સુપ્રીમ કોર્ટના પ્રશ્ન પર સાલ્વેએ જણાવ્યું હતું કે, 10 ધરપકડ કરવામાં આવી છે. બે પ્રકારના ગુના હતા એક ગુનામાં લોકો પર કાર ઘુસી હતી.
બીજું થયું જ્યારે કારમાં બેલોકો માર્યા ગયા હતા. તેને તપાસવું થોડું મુશ્કેલ છે, કારણ કે ત્યાં મોટી ભીડ હતી. જેના પર CJI જસ્ટિસ રમનાએ આગામી બુધવારના રોજ ફરી આ મામલે સુનાવણીકરવા જણાવ્યું હતું.
તેમણે કહ્યું, અરજદાર કહે છે કે, સ્ટેટસ રિપોર્ટ તેમને આપવામાં આવ્યો ન હતો. તે સંવેદનશીલ બાબત છે. આ મામલાની સુનાવણી 26 ઓક્ટોબરસુધી મુલતવી રાખવામાં આવી હતી.
લખીમપુર ખેરી હિંસામાં કુલ 8 લોકોના થયા હતા મોત
આ કેસમાં મુખ્ય આરોપીના પુત્ર આશિષ મિશ્રા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રા ટેની સહિત બાકીના 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
નોંધપાત્ર વાત એ છે કે, 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરીમાં, વિરોધ કરી રહેલા ખેડૂતો પર રસ્તા પર એક એસયુવી ઘુસી ગઈ હતી, જેમાં ચાર લોકો માર્યા ગયાહતા.
જે બાદ ભાજપના ત્રણ કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ પ્રદર્શનકારીઓ પર છે. આ હિંસામાં એક સ્થાનિક પત્રકારનું પણ મોત થયું છે.