Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાળુ નાણું આવ્યું તો દરેક નાગરિક બની જશે લાખોપતિ, જાણો કેવી રીતે

કેન્દ્ર સરકાર કાળુનાણું પરત લાવવા માટે કહી રહી છે. શું તમને ખબર છે કે જો કેન્દ્ર સરકાર કાળુનાણું વિદેશોમાંથી પરત ભારત લઇને આવે તો તેનાથી તમને શું ફાયદો થવાનો છે. લો અમે તમને જણાવી દઇએ. વિદેશી બેંકોમાં ભારતના એટલા પૈસા જમા છે કે દેશનો નાગરિક લાખોપતિ હશે. તેમાં તે પણ સામેલ હશે જેમણે લાખો રૂપિયા જોયા નથી. એટલે કે તમારી લોટરી લાગી જશે. લાખો કરોડોની કાળી કમાણી ભારતની ઘણી મોટી હસ્તીઓએ વિદેશી બેંકોમાં જમા કરી છે. કાળી કમાણી એટલી વધુ છે કે ભારતની પાસે એટલો સટીક અંદાજો પણ નથી.

કેટલા જમા છે પૈસા
સરકાર પાસે એટલો સટીક અંદાજો નથી કે વિદેશી બેંકોમાં ભારતીય લોકોના પૈસા કાળાનાણાંના રૂપમાં કેટલા પૈસા જમા છે. ઘણા અનુમાન કહે છે કે વિદેશી બેંકોમાં ભારતના અઢી લાખ કરોડ રૂપિયા જમા છે. તાજેતરમાં જ અનુમાન લગાવવામાં આવ્યું છે કે 36 હજાર કરોડ રૂપિયાનો રહ્યો. પરંતુ ઘણા જાણકારો કહે છે કે આ તો નામ માત્રનું અનુમાન છે. વિદેશી બેંકોમાં તો તેનાથી વધુ લાખ કરોડ રૂપિયા જમા છે.

કાળાનાણાંના રૂપમાં કાળી કમાણી વિદેશી બેંકોમાં જમા થવાની શરૂઆત 60-70ના દાયકામાં થઇ હતી. તે સમયે ભારતમાં રાજકીય સ્તરથી માંડીને અર્થવ્યવસ્થાના સ્તર સુધી ઉથલ પાથલ મચેલી છે.

black-money

કેટલી મોટી રકમ આવશે તમારા ખિસ્સામાં
કાળાનાણું જો એકવાર આવી જાય તો દેશમાં ગરીબીની નીચલા સ્તર પર જીવન પસાર કરી રહેલા લાખો પરીવારો ભૂખ્યા રહેવું નહી પડે. દેશના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને રાજકારણીઓ અને અન્ય લોકો જે ચોરી કરે છે આ એટલી મોટી રકમ છે કે જેનાથી ગરીબી થોડા વર્ષોમાં જ ખતમ થઇ જશે અને દેશ એક મજબૂત આર્થિક દેશ તરીકે તરી આવશે. જો કે અત્યારે વર્તમાનના સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર ના પ્રયત્નોથી જે સંકેત મળી રહ્યાં છે તો તેનાથી એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જલદી જ કાળુનાણું પરત આવી શકે છે. ત્યારબાદ તમને એટલા પૈસા મળી શકે છે કે જે કદાચ તમે વિચારી પણ ન શકો. તમને કેટલી રકમ મળશે નીચે વાંચો.

તમારા પરસેવાની કમાણીને ભ્રષ્ટ અધિકારીઓ, રાજકારણીઓ અને મોટી હસ્તીઓએ કાળી કમાણીના રૂપમાં વિદેશોમાં જમા કર્યા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કાળાનાણું આવતાં જ તમારી મહેનતથી એકઠી કરવામાં આવેલી રકમ તમારા ખિસ્સામાં આવવાની છે. આ રકમ ઘણી મોટી હશે. એક જાણકારીના અનુસાર જો આમ થયું તો દેશના દરેક નાગરીકના ખિસ્સામાં 3-3 લાખ રૂપિયા આવવું નક્કી ગણવામાં આવે છે. તો થઇ જાવ તૈયાર અને સરકારે પણ સલાહ મોકલો અને કાળાનાણાંની દરેક પ્રક્રિયા પર નજર રાખો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X