પટણા, 24 ફેબ્રુઆરી: બિહારની રાજનીતિમાં હાલના દિવસોમાં મોટા પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે. ગઇ કાલે સમાચાર આવ્યા કે એલજેપી પ્રમુખે કોંગ્રેસ અને આરજેડીનો સાથ છોડીને ભાજપનો હાથ પકડી લીધો છે, જ્યારે આજે એવા સમાચાર આવ્યા કે આરજેડીમાં પણ ફૂટ પડી ગઇ છે. આ વિધાયકોને લાલુ પ્રસાદ યાદવની લાલટેન ફોડી નાખી છે અને નીતિશ કુમારની પાર્ટી સાથે જોડાઇ જવાનું એલાન કરી દીધું છે.
રાષ્ટ્રીય જનતા દળની પાર્ટીમાં ફૂટ પડી ગઇ છે. લાલુ પ્રસાદ યાદવની પાર્ટી તૂટી ગઇ છે. 22માંથી 13 વિધાયકોએ આરજેડીનો સાથ છોડી દીધો છે. ખબર એ પણ છે કે વિધાયક ટૂંક સમયમાં જ જેડીયૂનો હાથ પકડવાના છે. લોકસભા ચૂંટણીના ઠીક પહેલા આરજેડી માટે આ એક મોટો ઝગડો છે. 13 વિધાયકોએ પાર્ટી સાથેનો સંબંધ તોડીને વિધાનસભા અધ્યક્ષને લાલુ યાદવની પાર્ટીથી અલગ થવાનો પત્ર પાઠવ્યો છે.
અત્રે નોંધનીય છે કે બિહારમાં કોંગ્રેસ અને આરજેડી મળીને ચૂંટણી લડવાની છે. 25 બેઠકો પર આરજેડી અને 14 પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા કરશે. અને 13 વિધાયક તૂટીને જો નીતિશની સરકારમાં જાય છે તો પણ નીતિશની સરકાર બહુમતમાં આવી શકશે નહીં.