For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં લશ્કરનુ મોટુ ષડયંત્ર નિષ્ફળ, 3 આતંકી પકડાયા

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે સતત ઑપરેશન ચલાવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સોમવારે સુરક્ષાબળોને રહેણાંક વિસ્તારમાં એક મોટી સફળતા મળી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે સતત ઑપરેશન ચલાવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સોમવારે સુરક્ષાબળોને રિયાસી જિલ્લામાં એક મોટી સફળતા મળી જ્યાં લશ્કરના આતંકી મૉડ્યુલનો પર્દાફાશ થયો છે. સાથે જ ત્રણ આતંકીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બધા ISI હેન્ડલરના ઈશારે કામ કરી રહ્યા હતા. સાથે જ તેમનો હેતુ રિયાસીમાં ફરીથી આતંકવાદને જીવંત કરવાનો હતો.

kashmir

રિયાસી એસએસપી રશ્મિ વઝીરના જણાવ્યા મુજબ ત્રણે આતંકી આઈએસઆઈ હેન્ડલર મોહમ્મદ કાસિમના સંપર્કમં હતા જેણે 18 વર્ષ પહેલા ઘૂસણખોરી કરી હતી. આ મામલે એક એફઆઈઆર નોંધવામાં આવી અને તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસએસપીના જણાવ્યા મુજબ આઈએસઆઈ હેન્ડલર આ લોકોનો ઘૂસણખોરી મામલે ગાઈડ અને લૉજિસ્ટિક સપોર્ટ તરીકે ઉપયોગ કરવા ઈચ્છતો હતો. આ કેસમાં લગભગ 11 શંકાસ્પદો છે જેમાં જમ્મુની એક મહિલા પણ શામેલ છે. તેણે એ વાત સ્વીકારી લીધી છે કે તેની કાસિમ સાથે મુલાકાત થઈ હતી. સાથે જ લશ્કર તરફથી તેેને પૈસા પણ આપવામાં આવ્યા હતા.

એસએસપી રશ્મિએ જણાવ્યુ કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક સરકારી કર્મચારી, મજૂર અને દુકાનદાર શામેલ છે. તેમના ઘણા બેંક ખાતાને પણ વેરીફાય કરવામાં આવ્યા અને અમુક બેનામી લેવડદેવડની વાત સામે આવી. જલ્દી આ કેસમાં બીજી ધરપકડ થઈ શકે છે. વળી, ધરપકડ કરાયેલ બધા આરોપી પૂર્વ આતંકીઓના પરિવારને લાલચ આપીને તેમનો ઉપયોગ કરવા માંગતા હતા. પોતાના આકાઓ સાથે વાત કરવા માટે આ આતંકી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા.

ગુજરાત-મધ્ય પ્રદેશમાં નર્મદામાં આવેલ પૂરનો પ્રકોપ, 8000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યાગુજરાત-મધ્ય પ્રદેશમાં નર્મદામાં આવેલ પૂરનો પ્રકોપ, 8000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

English summary
Lashkar-e-Taiba 3 terrorist arrested in Reasi jammu kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X