For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલની સભામાં મોદી સમર્થકો પર લાઠીચાર્જ

|
Google Oneindia Gujarati News

વારાણસી, 27 એપ્રિલઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આમ આદમી પાર્ટી(આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલની જનસભામાં હંગામો કરી રહેલા ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થકો પર પોલીસે રવિવારે લાઠીચાર્જ કર્યો. વારાણસીથી ‘આપ' ઉમેદવાર કેજરીવાલે લંકા ક્ષેત્રમાં શનિવારે મોડી રાત્રે જનસભા કરી હતી.

kejriwal-narendra-modi
જેમ કે કેજરીવાલ મંચ પર સંબોધિત કરવા માટે પહોંચ્યા, ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના સમર્થક મોદી જિંદાબાદ- કેજરીવાલ મુર્દાબાદના સૂત્રો લગાવ્યા. ત્યાં હાજર પોલીસે જ્યારે હંગામો કરી જનસભામાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરી રહેલા ભાજપ અને નરેન્દ્ર મોદી સમર્થકોને રોકવાનો પ્રયાસ કર્યો તો તે પોલીસ સાથે લડી પડ્યા. પોલીસની સ્થિતિ બેકાબૂ થતા લાઠીચાર્જ કરી દીધો.

લાઠીચાર્જ બાદ ત્યાંની સભા સ્થળ પર ભોગદોડ જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ. જિલાધિકારી પ્રાંજલ યાદવે રવિવારે પત્રકારોને જણાવ્યું કે, હંગામો કરનારા લોકો પર હળવો બળ પ્રયોગ કરીને સ્થિતિ પર કાબૂ મેળવવામા આવ્યો. હંગામો કરનારા લોકોની ઓળખ કરી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Lathicharge on Narendra Modi's supporters in Varanasi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X