અંબાણી પરિવારના લગ્નના બહાને INDIA ગઠબંધનના નેતાઓનો મહારાષ્ટ્રમાં જમાવડો, રણનીતિ પર થઈ શકે છે ચર્ચા
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સત્તાધારી બીજેપી સાથે સાથે વિપક્ષી પાર્ટીઓના મોટા નેતાઓને આમંત્રણ અપાયા હતા. આજે લગ્ન માટે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ મહારાષ્ટ્ર પહોંચ્યા છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુંબઈ રવાના થતા પહેલા સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ત્યાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે તેમજ અખિલેશ યાદવને મળશે.

જો કે, તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ લીધું નથી. સૂત્રો અનુસાર, અનંત-રાધિકાના લગ્નમાં ગાંધી પરિવારમાંથી કોઈ હાજરી આપશે નહીં. એટલે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીમાંથી કોઈ પણ આ લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ નહીં જાય.
આ દરમિયાન સમાજવાદી પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા લાલુ યાદવ પણ અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપવા માટે તેમના પરિવાર સાથે મુંબઈ પહોંચ્યા છે.
મહારાષ્ટ્રમાં આ વખતે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે અને TMC ચીફ મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ શરદ પવારના ઘરે જશે અને રાજનીતિ પર પણ વાતચીત કરશે.
આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે. યુપીમાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની જોડી જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની જોડીએ બીજેપીને બહુમતીનો આંકડો સુધી પહોંચતા રોકી છે.












Click it and Unblock the Notifications
