લશ્કરના પત્રમાં હૈદરાબાદમાં ફરીથી હુમલાની ધમકી
હૈદરાબાદ, 25 ફેબ્રુઆરી: શહેરમાં ભીડભાડવાળા વિસ્તાર દિલસુખ નગરમાં ગુરૂવારે બે બોમ્બ વિસ્ફોટના ત્રણ દિવસ બાદ એક શંકાસ્પદ પત્રમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાએ હુમલાની જવાબદારી લેતાં આવા વધુ હુમલાની ધમકી આપી છે.
ભારતીય જનતા પાર્ટીની આંધ્ર પ્રદેશ એકમના અધ્યક્ષ જી કૃષ્ણ રેડ્ડીને પત્ર મળ્યો હતો જેને લશ્કર-એ-તોઇબાનો માનવામાં આવે છે. પત્રમાં શહેરના એક મોટા વેપારી કેન્દ્ર બેગમ બજારમાં હુમલાની ધમકી આપવામાં આવી છે. પત્રમાં ગુરૂવારના હુમલાની જવાબદારી પણ લીધી છે.

રેડ્ડીએ કહ્યું છે કે અંગ્રેજી અને ઉર્દૂમાં લખેલા આ પત્રને એબિડ્સ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે તે પત્રની સત્યતા અંગે તપાસ કરશે અને આ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બેગમ બજારને ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓએ હુમલા માટે નક્કી કર્યો છે.
આતંકવાદી સંગઠનના એક સભ્યએ ગત વર્ષે દિલ્હી પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેની પુછપરછ કરતાં આ અંગેનો ખુલાસો થયો છે. દિલસુખનગરમાં આતંકવાદી હુમલા થયા બાદ પોલીસે બેગમ બજારમાં સુરક્ષા વધારી દિધી છે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
