પંજાબમાં લિફ્ટ ઈરિગેશન સ્કીમનુ ઉદ્ઘાટન થયુ, હવે દૂર થશે ગામોમાં પાણીની સમસ્યા
પંજાબમાં માન સરકારના મંત્રી હરજોત સિંહ બેંસે લિફ્ટ ઈરિગેશન સ્કીમનુ ઉદ્ઘાટન કરાવ્યુ છે.
શ્રી આનંદપુર સાહિબઃ પંજાબમાં માન સરકારના મંત્રી હરજોત સિંહ બેંસે લિફ્ટ ઈરિગેશન સ્કીમનુ ઉદ્ઘાટન કરાવ્યુ છે. આ સ્કીમ શરુ થવા પર ઘણા બધા ગામોને પાણી મળવા લાગ્યુ છે. આનાતી ચંગર વિસ્તારના ગામો થપ્પલ, ઝિંજડી, મોહીવાલ, તારાપુરના 521 એકર વિસ્તારને સિંચાઈ માટે આનંદપુર હાઈડલ ચેનલ નહેરમાંથઈ પાણીની સુવિધા મળી ગઈ છે. સરકારી પ્રવકતાએ જણાવ્યુ કે કેબિનેટ મંત્રીએ ચંગરમાં લિફ્ટ ઈરિગેશન સ્કીમના પહેલા પડાવનુ ઉદ્ઘાટન કર્યુ છે.

લિફ્ટ ઈરીગેશન યોજના હેઠળ 9.52 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કેનાલમાંથી 521 એકર જમીન માટે સિંચાઈનુ પાણી શરૂ થયુ છે. આ સાથે ચાંગર વિસ્તાર, થપ્પલ, ઝીંજડી, મોહિવાલ, તારાપુરના ગામોની 521 એકર જમીનને સિંચાઈ માટે આનંદપુર હાઈડલ ચેનલ કેનાલમાંથી પાણી મળશે. ઝિંજડીમાં જળ સંસાધન વિભાગ પંજાબના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ કહ્યુ કે 70 વર્ષથી ચાંગરના આ ગામોના લોકો સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.
ઉનાળામાં આ ગામોના લોકો તેમના પશુઓ સાથે સતલજ નદીના કિનારે આવતા હતા. વિસ્તારના 200 ગામોમાંથી 150 ગામોમાં પાણીની સમસ્યા છે જે આગામી દોઢ વર્ષમાં ઉકેલાઈ જશે. પ્રથમ યોજના શરૂ કરવામાં આવી છે. 18.52 કરોડની બીજી યોજના આ વર્ષના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે અને 1015 એકર વિસ્તારને પાણી આપવામાં આવશે. ત્રીજી સ્કીમની ડિઝાઇન IIT રોપર દ્વારા બનાવવામાં આવી છે જે સરકારને મોકલી આપવામાં આવી છે.
80 કરોડના ખર્ચે બનેલી આ યોજના પૂર્ણ થતાં 4007 એકરમાં પાણી આપવામાં આવશે. આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર પ્રીતિ યાદવે જણાવ્યુ હતુ કે તમામ અધિકારીઓ સંપૂર્ણ મહેનત અને સમર્પણ સાથે કામ કરી રહ્યા છે. સરકાર દ્વારા જે પણ યોજના લાવવામાં આવી રહી છે તેના પર સંપૂર્ણ ગંભીરતાથી કામ કરવામાં આવી રહ્યુ છે. આ પ્રસંગે એસડીએમ મનીષા રાણા, ડીએસપી અજય સિંહ, કાર્યપાલક ઈજનેર જળ સંસાધન વિભાગ ગુરપ્રીત સિંહ, સોહન સિંહ બેન્સ, કેપ્ટન ગુરનામ સિંહ, રામ કુમાર મુકારી, જસપ્રીત જેપી, જસબીર સિંહ અરોરા, દીપક સોની ભાનુપાલી, સુબેદાર રાજપાલ, ચૌધરી અનંત રામ, ચૌધરી વગેરે હાજર રહ્યા હતા. મોહન લાલ, સોહનસિંહ નિક્કુવાલ, કમલજીતસિંહ, ડો.જરનૈલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
