યૂપી અને બિહારમાં વિજળી પડતાં 40 લોકોના મોત

ઔરાંગાબાદ જિલ્લાના રફીગંજ પ્રખંડના પારસગિહા ગામમાં બે લોકોનું મોત ત્યારે થયું હતું જ્યારે તે ઘાસચારો લેવા માટે જઇ રહ્યાં હતા. પ્રખંડના રાજા બિગહા મોલ્લામાં સુભાષ સોની અને શિલ્પા કુમારીનું વિજળી પડતાં મોત નિપજ્યું હતું. હસપુરા, દાઉદનગર, સલૈયા અને મદનપુર પોલીસમથક વિસ્તારમાં વિજળી પડતાં એક-એક મોત નિપજ્યાં છે.
રફીગંજમાં સિહુલી ખૈરા ગામમાં 12 લોકો વિજળી પડતાં દાઝી ગયાં હતા જેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે. આ પ્રકારે રોહતાસ જિલ્લાના તિલૌથુ અને નોખા પોલીસ મથક વિસ્તારમાં ચાર લોકોના જ્યારે સુપૌલ જિલ્લાના બસુતપુર પ્રખંડ લાલપુર ગામમાં બે લોકોના મોત આકાશી વિજળી પડતાં થયાં છે. નાલંદા જિલ્લાના કરાય પરશુરાય પોલીસમથક વિસ્તારમાં બે લોકોના જ્યારે નગરનૌસા અને હીનૌત પોલીસમથક વિસ્તારમાં એક-એક વ્યક્તિનું મોત વિજળી પડતાં થયું હતું.
તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં આકાશી વિજળી પડવાથી 13 લોકોના મોત નિપજ્યાં છે અને ઓછામાં ઓછા અન્ય 12 લોકોને ઇજા પહોંચી છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. મંગળવારે સ્થાનિક વિસ્તારમાં તેજ આંધી અને વરસાદ વક્ચે વિજળી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. ગોરખપુર જિલ્લામાં સંત કબીરનગર વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા સહિત પાંચ લોકો વિજળીની ચપેટમાં આવી જતાં મોતને ભેટ્યાં હતા. સિદ્ધાર્થનગરમાં 3, બસ્તીમાં 1 અને ચમ્પરિયાગંજમાં 4 લોકોના મોત નિપજ્યાં છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
