Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અડવાણીએ કર્યા મોદીના ગુણગાન, લોકોને સુખદ આશ્ચર્ય!

નવી દિલ્હી, 19 ઑગસ્ટ : ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ પાર્ટીની એક બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરીને ઘણા લોકોને ચોંકાવી દીધા છે, કારણ કે બે-ત્રણ દિવસ પહેલા જ તેમણે સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રીની ટીકા કરવા પર મોદી પર પ્રહાર કર્યો હતો.

ભાજપા ચૂંટણી પ્રચાર સમિતિ, પ્રદેશ પાર્ટી અધ્યક્ષો, મહાસચિવોની બેઠકમાં સમાપન ભાષણ આપતા પાર્ટીના વરિષ્ઠ નેતા અડવાણીએ બુથ સ્તર પર પાર્ટીને મજબૂત કરવાની જરૂરિયાતને બળ આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીની ભારે પ્રશંસા કરી.

અડવાણીએ મોદીના એ વાતને લઇને પણ વખાણ કરવામાં આવ્યા કે તેમણે પહેલા જ ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરી દીધું અને કિશોર તથા પહેલી વાર મતદાતા બનવા જઇ રહેલા લોકોને ચૂંટણીપંચમાં મતદાતા તરીકે રજીસ્ટ્રેશન કરાવવાનું આહ્વાન પણ કર્યું છે.

advani
વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે આ પાસું ખુબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મુખ્ય લક્ષ્ય છે કે મતદાતાઓને બૂથ સુધી લાવવા અને એ સુનિશ્ચિત કરવું કે તેઓ મતદાન ચોક્કસ કરે.

સામાન્ય રીતે અડવાણીએ વિપક્ષની નેતા સુષમા સ્વરાજ અને તેમના સમકક્ષ અરૂણ જેટલી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહના પણ વખાણ કર્યા, પરંતુ મોદી માટેના વખાણ સાંભળીને ઘણા લોકોને સુખદ આશ્ચર્ય થયું.

મોદીને પાર્ટીની ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાના કારણે આ વર્ષની શરૂઆતમાં રાજીનામું આપી દેનાર અડવાણીએ ત્રણ દિવસ પહેલા મોદીની જાટકણી કાઢી હતી. પોતાના ભાષણમાં અડવાણીએ જણાવ્યું કે ભાજપ રેકોર્ડતોડ જીત મેળવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X