અડવાણીએ કર્યા મોદીના ગુણગાન, લોકોને સુખદ આશ્ચર્ય!
નવી દિલ્હી, 19 ઑગસ્ટ : ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ પાર્ટીની એક બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરીને ઘણા લોકોને ચોંકાવી દીધા છે, કારણ કે બે-ત્રણ દિવસ પહેલા જ તેમણે સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રીની ટીકા કરવા પર મોદી પર પ્રહાર કર્યો હતો.
ભાજપા ચૂંટણી પ્રચાર સમિતિ, પ્રદેશ પાર્ટી અધ્યક્ષો, મહાસચિવોની બેઠકમાં સમાપન ભાષણ આપતા પાર્ટીના વરિષ્ઠ નેતા અડવાણીએ બુથ સ્તર પર પાર્ટીને મજબૂત કરવાની જરૂરિયાતને બળ આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીની ભારે પ્રશંસા કરી.
અડવાણીએ મોદીના એ વાતને લઇને પણ વખાણ કરવામાં આવ્યા કે તેમણે પહેલા જ ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરી દીધું અને કિશોર તથા પહેલી વાર મતદાતા બનવા જઇ રહેલા લોકોને ચૂંટણીપંચમાં મતદાતા તરીકે રજીસ્ટ્રેશન કરાવવાનું આહ્વાન પણ કર્યું છે.

સામાન્ય રીતે અડવાણીએ વિપક્ષની નેતા સુષમા સ્વરાજ અને તેમના સમકક્ષ અરૂણ જેટલી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહના પણ વખાણ કર્યા, પરંતુ મોદી માટેના વખાણ સાંભળીને ઘણા લોકોને સુખદ આશ્ચર્ય થયું.
મોદીને પાર્ટીની ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાના કારણે આ વર્ષની શરૂઆતમાં રાજીનામું આપી દેનાર અડવાણીએ ત્રણ દિવસ પહેલા મોદીની જાટકણી કાઢી હતી. પોતાના ભાષણમાં અડવાણીએ જણાવ્યું કે ભાજપ રેકોર્ડતોડ જીત મેળવશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
