અરવિંદ કેજરીવાલને થઇ યોગી આદિત્યનાથની ચિંતા, કર્યો મોટો દાવો
Lok Sabha Election 2024: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારના રોજ તિહાડ જેલથી બહાર આવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં મોટો દાવો કર્યો હતો. એક તરફ તેમણે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતો, અને કેન્દ્ર સરકારને તાનાશાહી સરકાર ગણાવી હતી.
આ સાથે જ તેમણે ભાજપ શાસિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સામે પણ મોટા દાવા કર્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ચૂંટણી માત્ર એક વ્યક્તિ માટે જીતવા માંગે છે અને તે છે અમિત શાહ.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી એક ખતરનાક મિશન પર કામ કરી રહ્યા છે, અને તે મિશન છે વન નેશન વન લીડર. તેઓ વિપક્ષની સાથે પોતાના મુખ્યમંત્રીઓને પણ સંભાળવામાં વ્યસ્ત છે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જો તેઓ ચૂંટણી જીતશે, તો તેઓ બે મહિનામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો નિકાલ કરી દેશે. આનાથી શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, ડૉ. રમણ સિંહ, વસુંધરા રાજે અને સુમિત્રા મહાજનની કારકિર્દી ખતમ થઈ ગઈ છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપની INDI ગઠબંધનને પૂછીએ કે તેમનો વડાપ્રધાનનો ચહેરો કોણ હશે? પરંતુ હું ભાજપના લોકોને પૂછું છું કે, તમારો વડાપ્રધાનનો ચહેરો કોણ હશે? તમે વિચારતા હશો કે હું આવું શા માટે કહી રહ્યો છું, જ્યારે બધા જાણે છે કે નરેન્દ્ર મોદી સિવાય બીજું કોણ હશે. ભાજપે 75 વર્ષ પૂરા થતાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની રાજનીતિનો અંત આણ્યો. હવે જ્યારે મોદીજી પોતે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં 75 વર્ષના થશે, ત્યારે તેઓ આ પદ છોડી દેશે. તેમની ઈચ્છા અમિત શાહને વડાપ્રધાન બનાવવાની છે. તેઓ તેમના માટે વોટ પણ માંગી રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું છે કે, મારું આકલન છે કે, 4 જૂન પછી તેમની સરકાર નહીં બને. દરેક રાજ્યમાં તેમની બેઠકો ઘટી રહી છે. વિકાસ નહીં થાય તો ભાજપની સરકાર કેવી રીતે બનશે? તેમની પાસે માત્ર 200 થી 220 બેઠકો છે. INDI ગઠબંધન સરકાર બનશે, જેમાં AAP પણ સામેલ થશે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે. દિલ્હીના એલજી સામાન્ય જનતાના એલજી હશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
