જો મને કંઈક થઈ જાય, તો દુઃખી ન થતા, અરવિંદ કેજરીવાલે શેર કર્યો ઈમોશનલ વીડિયો
Lok sabha Election 2024: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ફસાયા છે. તેઓ દિલ્હીની તિહાડ જેલમાં બંધ હતા.
ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાં અરજી પર ચૂંટણી સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.
અરવિંદ કેજરીવાલે પણ જામીન લંબાવવાની અરજી કરી હતી, પરંતુ તે ફગાવી દેવામાં આવી હતી.
હવે તેઓએ 2 જૂનના રોજ ફરીથી આત્મસમર્પણ કરવું પડશે. આજે પહેલા અરવિંદ કેજરીવાલનો એક વીડિયો મેસેજ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં અરવિંદ કેજરીવાલ જનતાને અપીલ કરી રહ્યા છે કે, તેમણે જેલમાં રહેશે, અને દેશમાં સરમુખત્યારશાહી સામેની લડાઈ ચાલુ રહેશે.
અંતે તેઓ ભાવુક થઈ ગયા અને બોલ્યા - જો મને કંઈક થઈ જાય તો દુઃખી ન થતા.
मुझे परसों सरेंडर करना है। माननीय सुप्रीम कोर्ट का बहुत-बहुत शुक्रिया। https://t.co/1uaCMKWFhV
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024












Click it and Unblock the Notifications
