Manipur Repolling: મણિપુરના 11 મતદાન કેન્દ્રો પર આજે ફરીથી થઈ રહ્યુ છે મતદાન, ફેઝ-1માં થઈ હતી હિંસા
Manipur Repolling 11 Booths: મણિપુરમાં 11 બૂથ પર આજે, 22 એપ્રિલ, સોમવારના રોજ પુનઃ મતદાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ 11 બૂથ આંતરિક મણિપુર લોકસભા મતવિસ્તારના છે. 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન આ બૂથ પર હિંસા અને ગોળીબાર થયો હતો, જેના કારણે ચૂંટણી પંચ ફરીથી મતદાન કરાવી રહ્યું છે.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન, કેટલાક બદમાશોએ આ મતદાન મથકો પર કથિત રીતે ગોળીબાર કર્યો હતો અને ઈવીએમને પણ નષ્ટ કર્યા હતા. જે બાદ ચૂંટણી પંચે 19મી એપ્રિલે આ મતદાન મથકો પર થયેલ મતદાનને અમાન્ય જાહેર કર્યું હતું અને પુનઃ મતદાનનો આદેશ આપ્યો હતો.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે પુન: મતદાન હાથ ધરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે તમામ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા એક સ્થાનિકે કહ્યું, "અમે મતદાન કરવા આવ્યા છીએ. પુનઃ મતદાન ચાલી રહ્યું છે. સુરક્ષા વધારી દેવામાં આવી છે."
મણિપુરમાં 19 એપ્રિલે સાંજે 7 વાગ્યા સુધી 69.18 ટકા મતદાન થયું હતું. જે મતદાન મથકો પર પુન: મતદાન યોજાઈ રહ્યું છે તેમાં ખુરાઈ મતવિસ્તારમાં મોઈરાંગકમ્પુ સાઝેબ અને થોંગમ લીકાઈ, ક્ષેત્રીગાવમાં ચાર, ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના થોંગજુમાં એક, ઉરીપોકમાં ત્રણ અને ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કોંથૌજામમાં એકનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે મણિપુરમાં ગયા વર્ષથી હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. જ્ઞાતિ સંઘર્ષથી પ્રભાવિત મણિપુરમાં કેટલાક મતદાન મથકો પર ગોળીબાર, ધમકીઓ, ઈવીએમની તોડફોડ અને મતદાન મથકો કબજે કરવાના આરોપો લાગ્યા હતા.












Click it and Unblock the Notifications
