Lok Sabha Election 2024 : આ બોલિવૂડ સુંદરીઓને ભારતમાં મત આપવાનો અધિકાર નથી, જાણો કેમ?
લોકસભા ચૂંટણી 2024 માટે પાંચમાં ચરણનું મતદાન થઈ રહ્યું છે. આ ચરણમાં બોલિવૂડના ઘણા સિતારા તેના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા.
સવારથી જ ઘણા સિતારાઓ મતદાન કરવા પહોંચી રહ્યા છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે બોલિવૂડમાં ઘણા એવા સેલિબ્રિટી છે જેને મતાધિકારનો ઉપયોગ કરવાનો અધિકાર નથી.

કેટરીના કૈફ
બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરીના કૈફને ભારતમાં મત આપવાનો અધિકાર નથી. તેનો જન્મ હોંગકોંગમાં થયો હતો અને તેના પિતા કાશ્મીરી વેપારી અને વકીલ હતા. અભિનેત્રીની નાગરિકતા બ્રિટિશ છે. જેના કારણે તે લોકસભાની ચૂંટણીમાં વોટ કરી શકતી નથી.
આલિયા ભટ્ટ
પોતાની ક્યુટનેસથી લોકોના દિલને સ્પર્શી લેનારી અભિનેત્રી આલિયા ભટ્ટ પણ ચૂંટણી દરમિયાન મતદાન કરી શકતી નથી. તેણીની નાગરિકતા બ્રિટિશ છે.
જેકલીન ફર્નાન્ડિસ
આ યાદીમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ પણ છે. તેના પિતા શ્રીલંકાના હતા અને માતા મલેશિયાની હતી. અભિનેત્રી ભારતમાં રહે છે પરંતુ તેની પાસે અહીંની નાગરિકતા નથી.
સની લિયોની
મોડલ અને અભિનેત્રી સની લિયોની પાસે પણ ભારતીય નાગરિકતા નથી. તેની પાસે કેનેડિયન અને અમેરિકન નાગરિકતા છે. તેનો જન્મ કેનેડામાં થયો હતો, તેથી તેની નાગરિકતા ત્યાં છે.
નોરા ફતેહી
આ યાદીમાં નોરા ફતેહીનું નામ પણ છે. અભિનેત્રી કેનેડિયન-મોરોક્કન છે. તેણી પાસે પણ ભારતીય નાગરિકતા નથી, તે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.
નરગીસ ફખરી
અભિનેત્રી નરગીસ ફખરી પણ અમેરિકન નાગરિકતા ધરાવે છે. તે લોકસભાની ચૂંટણીમાં પણ મતદાન કરી શકશે નહીં.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
