Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok sabha Election 2024: આજે શાંત થશે પ્રચાર પડઘમ, PM મોદી અને રાહુલ ગાંધી કરશે 2 રેલી

Lok sabha Election 2024: 19 એપ્રિલના રોજ પહેલા ચરણમાં મતદાન યોજાશે, જે કારણે આજે ચૂંટણી પ્રચાર શાંત થશે. આજે ત્રિપુરાના અગરતલા અને આસામના નલબારીમાં વડાપ્રધાન મોદી એક રેલીનું યોજશે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી નાગપુરમાં જાહેર સભા સંબોધશે. નાગપુર લોકસભા બેઠક પર તેમનો સામનો કોંગ્રેસના ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર વિકાસ ઠાકરે સાથે થશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા તેમનું પ્રચાર ચાલુ રાખશે. જ્યારે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ કર્ણાટકમાં હશે, ત્યારે તેમની બહેન સહારનપુરમાં પ્રચાર કરશે, યુપીની એકમાત્ર બેઠક જ્યાંથી કોંગ્રેસ પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહી છે.

ચૂંટણી પ્રચાર આજે થંભી જશે - પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 19 એપ્રિલના રોજ મતદાન થશે. પ્રથમ તબક્કામાં જ્યાં પણ મતદાન થવાનું છે, ત્યાં આજે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે.

પ્રથમ તબક્કામાં શુક્રવારે 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો માટે મતદાન થશે. આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાવા જઈ રહી છે, જ્યારે મતગણતરી 4 જૂનના રોજ થશે.

ભાજપની રેલી - 19 એપ્રિલે યોજાનારી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે બુધવારે ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓ આક્રમક પ્રચાર કરશે. વડાપ્રધાન મોદી પહેલા આસામના નલબારીમાં જનસભાને સંબોધિત કરશે, ત્યારબાદ તેઓ અગરતલામાં રેલીમાં ભાગ લેશે.

ok sabha Election 2024

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નાગપુરમાં લોકોને સંબોધિત કરશે, જ્યાં તેઓ કોંગ્રેસના ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર વિકાસ ઠાકરે સામે ટકરાશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કેરળમાં કન્નુર, કાસરગોડ અને વાડાકારામાં ત્રણ રેલીઓને સંબોધિત કરશે. પ્રથમ તબક્કામાં રાજ્યની તમામ 20 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે.

કોંગ્રેસની રેલી - કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા તેમનું પ્રચાર ચાલુ રાખશે. જ્યારે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ કર્ણાટકમાં હશે, ત્યારે તેમની બહેન સહારનપુરમાં પ્રચાર કરશે, યુપીની એકમાત્ર બેઠક જ્યાંથી કોંગ્રેસ પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહી છે.

રાહુલ કર્ણાટકના માંડ્યા અને કોલારમાં બે રેલીઓને સંબોધિત કરશે. જેડી(એસ), જે લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધનમાં છે, તેમણે પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીને પાર્ટીનો ગઢ ગણાતી માંડ્યા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના વેંકટરામેગૌડા ઉર્ફે સ્ટાર ચંદ્રુ સાથે થશે.

કોલાર એ છે, જ્યાં રાહુલ ગાંધીએ 2019 માં તેમનું વિવાદાસ્પદ મોદી અટક ભાષણ આપ્યું હતું, જેના કારણે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ લોકસભામાંથી ગેરલાયક ઠર્યા હતા.

TMC રામ નવમીની શોભાયાત્રા કાઢશે - રામ નવમીના અવસર પર તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળના હાવડામાં શોભાયાત્રા કાઢશે. આ રેલીનું નેતૃત્વ હાવડાથી પાર્ટીના લોકસભા ઉમેદવાર પ્રસૂન બેનર્જી કરશે અને તેમાં જાદવપુરના ઉમેદવાર સયોની ઘોષ, મંત્રીઓ અરૂપ રોય અને મનોજ તિવારી હાજરી આપશે.

TMCનું આ પગલું કોલકાતા હાઈકોર્ટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ને હાવડામાં રામ નવમીની શોભાયાત્રાનું આયોજન કરવાની મંજૂરી આપ્યાના એક દિવસ બાદ આવ્યું છે. ઉજવણીને લઈને ભાજપ અને ટીએમસી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે એક રેલીમાં લોકોને ચેતવણી આપી હતી કે, ભાજપ 17 એપ્રિલે રમખાણો કરશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકાર પર આરોપ મૂક્યો કે, બાલુરઘાટમાં રામ નવમીની ઉજવણીને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા ઠે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X