Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

lok sabha election 2024 : મારા નિવેદનને તોડી - મરોડીને રજૂ કરી રહ્યા છે ભાજપીઓ : ઉદયનિધી સ્ટાલિન

Udhayanidhi Sanatana Remarks, lok sabha election 2024 : આ સનાતન ધર્મ ભારતીય રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેનું કારણ છે, તામિલનાડુ સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનનું એક નિવેદન છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સનાતન ધર્મની તુલના ડેન્ગુ-મેલેરિયા અને કોરોના સાથે કરી હતી.

ઉધયનિધિ સ્ટાલિને તો ત્યાં સુધી જણાવ્યું હતું કે, સનાતન ધર્મ એવો છે કે, તેનો વિરોધ ન કરવો જોઈએ પણ તેને મૂળમાંથી નાબૂદ કરી દેવો જોઈએ. ઉધયનિધિ સ્ટાલિન શનિવારના રોજ એક કાર્યક્રમમાં આપેલા નિવેદન બાદથી વિવાદમાં છે.

Udhayanidhi Sanatana

ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તેમના પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. હવે તેમના નિવેદનને લઈને સર્જાયેલા હોબાળા વચ્ચે ઉધયનિધિ સ્ટાલિને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને તેમના સનાતન નિવેદન પર સ્પષ્ટતા આપી છે.

ગત શનિવારના રોજ ઉધયનિધિ સ્ટાલિને સનાતન નિર્મૂલન સંમેલનમાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. અહીં બોલતા ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને સંપૂર્ણ નાબૂદ કરવાની વાત કરી હતી, જે બાદ હિન્દુ સંગઠનોએ તેમની સામે મોરચો ખોલ્યો છે.

આ વિવાદાસ્પદ નિવેદન બાદ તેમની (ઉદયનિધિ સ્ટાલિન) વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. હવે તેમની સામે લોકોના ગુસ્સાને જોઈને ઉધયનિધિ સ્ટાલિને આગળ આવીને પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે.

મીડિયા સાથે મુલાકાત દરમિયાન ઉધયનિધિ સ્ટાલિને જણાવ્યું હતું કે, કેટલાક લોકો મારા નિવેદન અંગે બાલિશ વાતો કરી રહ્યા છે. મેં ક્યારેય નરસંહાર માટે પૂછ્યું નથી. તો જ્યારે વડાપ્રધાન મોદી કહે છે કે, કોંગ્રેસ મુક્ત ભારત, તો શું તેમનો મતલબ કોંગ્રેસીઓને મારવાનો છે?

આ પહેલા રવિવારના રોજ પણ ઉધયનિધિ સ્ટાલિનનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેઓ કહી રહ્યા હતા કે, તેમણે કંઈ ખોટું નથી કહ્યું. તે પોતાના નિવેદન પર અડગ છે. લોકો તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે. જો તેને પોતાના નિવેદન માટે કાનૂની પ્રક્રિયાનો સામનો કરવો પડશે તો તે તેના માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારથી ઉધયનિધિનું આ નિવેદન સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમના પર પ્રહારો કરી રહી છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ ઉધયનિધિના નિવેદન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ઉધયનિધિ સ્ટાલિને માત્ર હિંદુ ધર્મને ડેન્ગ્યુ-મેલેરિયા સાથે જોડ્યો નથી, પરંતુ તે તેને ખતમ કરવાનું કહી રહ્યા છે. આ રીતે તેઓ સનાતન ધર્મમાં માનતા ભારતની 80 ટકા વસ્તીના નરસંહારની હાકલ કરી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X