Lok Sabha Election 2024 : ચૂંટણી જીતતા જ 3 દિવસમાં જાહેર કરીશું વડાપ્રધાન, ઈન્ડિયા એલાયન્સનો મોટો દાવો
લોકસભા ચૂંટણી પુરી થવામાં છે અને બહુ જલ્દી નવી સરકાર બનશે. હવે ચૂંટણીના પરિણામો વચ્ચે ઈન્ડિયા એલાયન્સે મોટો દાવો કર્યો છે.
ચૂંટણીના છઠ્ઠા તબક્કા પહેલા ઇન્ડિયા બ્લોકના પાર્ટનર કોંગ્રેસે તેના પરિણામોને લઈને વિસ્ફોટક દાવો કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે વિપક્ષી ગઠબંધનને સ્પષ્ટ અને નિર્ણાયક બહુમતી મળવા જઈ રહી છે અને માત્ર એક જ વ્યક્તિ સંપૂર્ણ પાંચ વર્ષ માટે વડાપ્રધાન રહેશે.

કોંગ્રેસે પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાનના બીજેપીના નિવેદનની ઝાટકણી કાઢી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, 4 જૂને પરિણામ જાહેર થતાં જ ઈન્ડિયા બ્લોક ત્રણ દિવસમાં વડાપ્રધાનના નામની જાહેરાત કરશે.
જયરામ રમેશે કહ્યું કે, 2004ની જેમ 4 જૂને 20 વર્ષ પછી ઈતિહાસનું પુનરાવર્તન થશે. સામાન્ય ચૂંટણીઓમાં ભાજપનું ઈન્ડિયા શાઈનિંગ અભિયાન નિષ્ફળ ગયું હતું અને કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સત્તા પર આવી હતી.
જયરામ રમેશે આ જ આધાર પર દાવો કર્યો છે કે જે લોકો સતત સવાલ ઉઠાવી રહ્યા છે કે પીએમ કોણ હશે તો હું યાદ અપાવવા માંગુ છું કે 2004માં જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને જનાદેશ મળ્યો હતો ત્યારે ત્રણ દિવસ પછી પીએમ માટે ડૉ.મનમોહન સિંહના નામની જાહેરાત કરવામાં આવી.
જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની રેલીઓમાં વારંવાર વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તે સત્તામાં આવશે તો તેમને પાંચ વર્ષમાં વડાપ્રધાન બનાવવાની યોજના છે.
જયરામ રમેશે કહ્યું કે, આ વખતે ત્રણ દિવસ પણ નહીં લાગે અને સરકાર ચલાવવા માટે માત્ર એક જ વ્યક્તિ પાંચ વર્ષ સુધી વડાપ્રધાન રહેશે. ઈન્ડિયા બ્લોકના સભ્યો લોકતાંત્રિક રીતે વડાપ્રધાનના ઉમેદવારની પસંદગી કરશે. તેમના મતે આપણા દેશમાં ચૂંટણી એ સૌંદર્ય સ્પર્ધા નથી. આપણા દેશમાં પક્ષો વચ્ચે ચૂંટણી થાય છે, આપણી લોકશાહી પક્ષ કેન્દ્રિત છે, વ્યક્તિ કેન્દ્રિત નથી.












Click it and Unblock the Notifications
