Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election 2024 : ઈન્ડિયા બ્લોકના મોટા નેતા નેતા બેઠકથી કેમ દુર? જાણો શું છે કારણ?

Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણીના અંતિમ ચરણના મતદાન પહેલા ઈન્ડિયા બ્લોકના નેતાઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં મમતા બેનર્જી સહિત ઘણા મોટા નેતાઓની ગેરહાજરી જોવા મળી.

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન વચ્ચે ઈન્ડિયા બ્લોકના વરિષ્ઠ નેતાઓ ભાવિ વ્યૂહરચના અંગે ચર્ચા કરવા દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે એકઠા થયા હતા.

Lok Sabha Election 2024

આ બેઠકમાં એક જ પક્ષના ઘણા નેતાઓનો મેળાવડો હતો પરંતુ મહાગઠબંધનના કેટલાક મહત્વના સહયોગીઓના કેટલાક અગ્રણી ચહેરાઓ ક્યાંય જોવા ન મળ્યા, જેના માટે અલગ-અલગ કારણો આપવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના ઘરે આયોજિત ઈન્ડિયા બ્લોકની આ બેઠકમાં ચર્ચા માટે આવેલા નેતાઓમાં કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેસી વેણુગોપાલ, આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહ સામેલ હતા.સમાજવાદી પાર્ટીમાંથી અખિલેશ યાદવ અને રામ ગોપાલ યાદવ હાજર રહ્યાં.

આ સિવાય એનસીપી તરફથી શરદ પવાર અને જિતેન્દ્ર અવ્હાડ, આરજેડી તરફથી તેજસ્વી યાદવ અને સંજય યાદવ, જેએમએમમાંથી ચંપાઈ સોરેન અને કલ્પના સોરેન, નેશનલ કોન્ફરન્સમાંથી ફારુક અબ્દુલ્લા, સીપીએમમાંથી સીતારામ યેચુરી, સીપીઆઈમાંથી ડી રાજા, દીપાંકર ભટ્ટાચાર્ય, રાજદના રાજપૂત અને રાજેન્દ્રસિંહ જાડેજા હાજર હતા. શિવસેના (UBT) તરફથી અનિલ દેસાઈ અને VIP તરફથી મુકેશ સાહની પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

જો કે વિપક્ષી ગઠબંધનની આ બેઠકને અનૌપચારિક ગણાવી પરંતુ, તૃણમૂલ વડા મમતા બેનર્જી, ડીએમકે ચીફ એમકે સ્ટાલિન, શિવસેના (યુબીટી) સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની ગેરહાજરીએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.

આ સવાલો એટલા માટે વધારે ઉઠી રહ્યા છે કારણ કે એક દિવસ પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ એક્ઝિટ પોલનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો, જેના પર ભાજપે એમ કહીને હુમલો કર્યો હતો કે તેઓ હાર સ્વીકારી ચૂક્યા છે. બાદમાં કોંગ્રેસે યુ-ટર્ન લીધો અને એક્ઝિટ પોલમાં ભાગ લેવા સંમત થઈ.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પહેલેથી જ જાહેરાત કરી હતી કે રાજ્યની 9 બેઠકો પર અંતિમ તબક્કાના તદાનને કારણે તેમના માટે બેઠકમાં હાજર રહેવું શક્ય નથી. આ માટે તેમણે ચક્રવાતને પણ એક કારણ ગણાવ્યું હતું.

જ્યારે ડીએમકે સુપ્રીમો અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને ગઠબંધન માટે મોટી જીતનો દાવો કર્યો અને કહ્યું કે ટીઆર બાલુ દિલ્હીની બેઠકમાં તેમની પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. પરંતુ જ્યારે તમિલનાડુમાં પહેલા તબક્કાની ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે તેમનું રૂબરૂ ન આવવું એ પણ ચર્ચાનો વિષય છે.

આ જ રીતે મહારાષ્ટ્રમાં પણ પાંચમા તબક્કામાં જ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. છતાં ઉદ્ધવ ન તો પોતે આવ્યા કે ન તો તેમના પુત્ર આદિત્ય ઠાકરેને તેમના પ્રતિનિધિ તરીકે મોકલ્યા.

પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ પહેલા જ કહ્યું હતું કે તેઓ આ બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. આ માટે તેણે અંગત કારણો દર્શાવ્યા હતા. તેણે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું હતું કે, હું કદાચ જઈ ન શકું, કારણ કે મારી માતાની આંખનું ઓપરેશન થયું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X