Lok Sabha Election 2024: હૈદરાબાદ લોકસભા બેઠક પર કામ કરશે ઓવૈસીનો બેકઅપ ફોર્મૂલા?
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ચરણમાં મતદાન થયા બાદ હવે તમામ રાજકીય પક્ષોએ અન્ય 6 ચરણ માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સતત રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના મંથનને આખરીઓર આપતા જોવા મળી રહ્યા છે.
આ દરમિયાન નોમિનેશન રાઉન્ડ પણ ચાલી રહ્યો છે. આ કેટેગરીમાં, સોમવારે (22 એપ્રિલ) ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ AIMIMની ટિકિટ પર હૈદરાબાદ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી.
ખાસ વાત એ છે કે, આ સીટ પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પહેલાથી જ પાર્ટીની ટિકિટ પર બીજેપી ઉમેદવાર માધવી લતા સામે ચૂંટણી લડી રહ્યા છે. હવે સવાલ એ છે કે, પાર્ટીએ ઓવૈસીના ભાઈને એ જ સીટ પરથી ચૂંટણી લડાઈમાં કેમ ઉતાર્યા છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, AIMIM એ બેકઅપ તૈયાર કરતી વખતે આ દાવ લીધો છે. અકબરુદ્દીન ચંદ્રયાનગુટ્ટા વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે. પાર્ટી આયોજન કરી રહી છે કે, જો કોઈ કારણસર ઓવૈસીનું નોમિનેશન ફગાવી દેવામાં આવે તો અકબરુદ્દીન બેકઅપ તરીકે કામ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઓવૈસી બેકઅપ ફોર્મ્યુલા અપનાવી ચુક્યા છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન અકબરુદ્દીને ચંદ્રયાનગુટ્ટા વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે તેમના પુત્ર નૂરુદ્દીને પણ આ જ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. નૂરુદ્દીને બારમાં પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
